રાકેશ ટિકૈતે કહ્યું કે ચાહે અમારે 10 વર્ષ લાગી જાય પરંતુ અમે અમારી માંગોથી પીછે હટ નથી કરવાના.
હાઈવે જામ, રેલવે ટ્રેક પર ખડૂતોના બેસવાથી મેટ્રો સંચાલન પર અસર પડી છે
રાકેશ ટિકૈતે કહ્યું 10 વર્ષ સુધી આંદોલન કરવા તૈયાર
સરકારને જવાબ આપતા કહ્યું આ ફક્ત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા આવો, પણ...
હાઈવે જામ, રેલવે ટ્રેક પર ખડૂતોના બેસવાથી મેટ્રો સંચાલન પર અસર પડી છે
ભારત બંધ અંતર્ગત હાઈવે જામ, રેલવે ટ્રેક પર ખડૂતોના બેસવાથી મેટ્રો સંચાલન પર અસર પડી છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાઓને પાછા લેવાને લઈને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે ચાહે અમારે 10 વર્ષ લાગી જાય પરંતુ અમે અમારી માંગોથી પીછે હટ નથી કરવાના. રસ્તા પર ટ્રાફિક જામને લઈને જનતાને થઈ રહેલી સમસ્યા પર ટિકેતે કહ્યું કે જનતાને સમસ્યા થઈ રહી છે. આજે લોકોની રજા એવી રીતે જોવું જોઈએ.
Farmers protest at Ghazipur border continue as farmer organisations call a “Bharat Bandh” today against the three farm laws.
The traffic movement has been closed from Uttar Pradesh towards Ghazipur due to protest. pic.twitter.com/Tvobcyz9FD
સરકારને જવાબ આપતા કહ્યું આ ફક્ત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા આવો, પણ...
ભાકિયૂ નેતાએ કહ્યું કે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે વાતચીત માટે આવો. અમે કૃષિ મંત્રીને કહેવા માંગીઓ છીએ કે સરકાર અમને સમય અને જગ્યા બતાવે. આ ફક્ત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા માટે આવો. સરકાર વાતચીત માટે કોઈ શરત વગર બોલાવે. ભલે 10 વર્ષ લાગી જાય અમે અહીંથી નહીં હલીએ.
રેલવે ગાડીઓની અવરજવર પર અસર પડી
ભારત બંધ અંતર્ગત ખેડૂતોએ દિલ્હી મેરઠ એક્સપ્રેસ જામ કરી દીધો છે. દિલ્હી યુરીની વચ્ચે ગાજીપુર બોર્ડર પણ બંધ છે. ગાજિયાબાદ પોલીસે અનેક જગ્યાએ ટ્રાફિક જામને લઈને એડવાઈઝરી જારી કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોરપોરેશનના પંડિત રામ શર્મા સ્ટેશન પર પ્રવેશ અને નિકાશ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના બહાદુર ગઢમાં ખેડૂત રેલ ટ્રેક પર બેસી ગયા છે. આનાથી રેલવે ગાડીઓની અવરજવર પર અસર પડી છે.
અમે કંઈ ઠપ નથી કરવા માંગતા અમે ફક્ત સરકારને સંદેશો આપવા માંગીએ છીએ- ટિકૈત
ટિકૈતે કહ્યું કે એમ્બ્યૂલન્સ, ડોક્ટકર અને ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા અન્ય લોકોને બંધ દરમિયાન નહીં રોકવામાં આવે. ટિકેતે સફાઈ આપતા કહ્યું કે અમે કંઈ ઠપ નથી કરવા માંગતા અમે ફક્ત સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે દુકાનદારોથી 4 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.