કેન્દ્રની ત્રણેય નવા કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની તામામ બર્ડ઼ર્સ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને દેશભરમાં સતત ચર્ચાઓ ચાલુ છે. ત્યારે રાકેશ ટિકૈતે એક મોટું નિવેદન આપ્યું હતું.
કહ્યું- હું ખેડૂત છું અને ચૂંટણી લડવાનો કોઇ જ ઈરાદો નથી
ઉલ્લેખનીય છે કે,26 જાન્યુઆરીમાં દિલ્હીમાં હિંસા થઈ ત્યારબાદ આંદોલન હવે ધીમું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ ત્યારબાદ ભારતીય ખેડૂત યુનિયનના પ્રમુખ રાકેશ ટિકૈતે મામલો સંભાળ્યો અને તેઓ આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયા છે. આ દરમિયાન રાકેશ ટિકૈતની રાજનીતિમાં આવવાની શક્યતાઓને લઈને તેમણે જવાબ આપ્યો છે.
ચૂંટણી લડવાનો કોઇ જ ઈરાદો નથી
રાકેશ ટિકૈતે ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમને આગામી સમયમાં ચૂંટણી લડવા અંગેના સવાલનો જવાબ આપ્યો હતો. ટિકૈતે કહ્યું કે, "હું નેતાગીરી નથી કરતો, હું ખેડૂત છું. " તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને નેતાગીરીથી નહીં પરંતુ MSP પર કાયદાની ગેરંટીથી મતલબ છે બસ. વધુમાં ટિકૈતે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. બસ ટ્રાયક્ટર ચલાવવાનો શોખ છે, મુશ્કેલીનો દિવસોમાં સમગ્ર દિવસ સુધી ટ્રેકટર ચલાવતો રહું છું. પહેલી વખત અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને ત્યારબાદ RLDમાંથી પરંતુ બન્ને વખતે ડિપોઝીટ જપ્ત થઈ હતી.
સરકાર પાસે તો અમારો નંબર છે : ટિકૈત
આ સિવાય રાકેશ ટિકૈતે એક કોલનું અંતર વાળા વડા પ્રધાનના નિવેદન પર વાત કરતા કહ્યું કે વડા પ્રધાન કહે છે કે તેઓ કોલના અંતરે છે. અમને તો તેમનો નંબર નથી ખબર અને તેઓ અમને પોતાનો નંબર આપે અને સરકાર પાસે તો અમારો નંબર છે.