પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર રાકેશ ટીકૈતે નિવેદન આપ્યું છે.
PM મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર રાકેશ ટીકૈતનું નિવેદન
MSP પર સરકાર કાયદો બનાવે
નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. ટિકૈત કહ્યું કે MSP પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે મે એ માગ કરી છે કે MSP પર સરકાર કાયદો બનાવે. MSP પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
When did we say that MSP is ending? We said that a law be formed on MSP. If such a law is formed, all the farmers of the country will be benefitted. Right now, there is no law on MSP and the farmers are looted by traders: Rakesh Tikait, Bharatiya Kisan Union pic.twitter.com/xZDhUzH3nV
રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર સાથે અમારી કમિટી વાત કરશે. આ રાજકીય આંદોલન નથી. રાજકીય લોકો આંદોલનમાં ક્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ટિપ્પણી કરી. ટિકૈતે કહ્યું કે ભૂખ પર વેપાર ન થવો જોઇએ. એવા કરનારાઓને બહાર નીકાળી દેવા જોઇએ.
વાતચીતના અવસર પર રાકેશ ટિકૈતે કહ્યું કે જો વાતચીત કરવા ઇચ્છે છે તો અમે તૈયાર છીએ. પરંતુ અમારું પંચ પણ એ જ છે અને મંચ પણ એ જ છે. ટિકૈતે કહ્યું કે આ બિલોને પરત ખેંચીને MSP પર કાયદો બનાવો જોઇએ.
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર 15 સંશોધન કરવા ઇચ્છે છે, પરંતુ તેને પરત ખેંચી લે અને પછી આગળની વાત કરવામાં આવશે.
MSP છે, હતું અને રહેશે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીને જ્યારે કૃષિ સુધારાઓ કરવા પડ્યા ત્યારે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ પીછે હટ્યા નહોતાં. ત્યારે લેફવાળા કોંગ્રેસને અમેરિકાના એજન્ટ બતાવતા હતા, આજે મને પણ તે ગાળો આપવામાં આવી રહી છે.
પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજતા અમારે આગળ વધવાનું છે, ગાળોને મારા ખાતામાં જવા દો પરંતુ સુધારાને થવા દો. પીએમ મોદીએ કહ્યું કે વડીલો આંદોલનમાં બેઠા છે, તેઓને ઘરે જવું જોઇએ. આંદોલન પુરુ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે. ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે.
ખેડૂતો માટે શું કર્યું, પીએમ મોદી કહ્યું...
પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા કહ્યું કે ચૂંટણીના સમયે લોનમાફી આપવામાં આવે છે, પરંતુ તેનાથી નાના ખેડૂતોને ફાયદો થતો નથી. પરંતુ છેલી પાક વીમા યોજના પણ મોટા ખેડૂતો માટે હતી, જે માત્ર બેંકમાંથી લોન લેતો હતો.
પીએમ મોદીએ કહ્યું 2014માં અમારી સરકાર આવતા કેટલાંક પરિવર્તન કરવામાં આવ્યાં અને પાક વીમાનું ક્ષેત્ર વધારવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે પાક વીમા યોજના હેઠળ 90 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. અમે અંદાજે 1.75 કરોડ લોકો સુધી ખેડૂત ક્રેડિટ કાર્ડ પહોંચાડ્યાં.
પીએમ મોદીએ કહ્યું કે અમે ખેડૂત સમ્માન નિધિ યોજના લાગુ કરી, દસ કરોડ પરિવારોને તેનો લાભ મળ્યો અને 1.15 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા છે. બંગાળમાં રાજનીતિ વચ્ચે ન આવી હોત તો ત્યાંના લાખો ખેડૂતોને તેનો લાભ મળી શક્યો હોત. અમે 100 ટકા ખેડૂતોને સોયલ હેલ્થ કાર્ડ રજૂ કર્યાં.