શનિવારે ભારતીય કિશાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે સરકાર અમને વીજળીનું કનેક્શન આપે નહીંતર મજબૂરીમાં અમારે જનરેટર લાવવા પડશે.
ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવા માટે ખેડૂત નેતાઓ નવી રણનીતિ ઘડી રહ્યાં છે.
ગરમી હોય કે વરસાદ, અમારુ આંદોલન ચાલતુ રહેશે
બોર્ડર પર ખેડૂતો એસી અને કૂલરમાં આરામ કરશે
ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવા માટે ખેડૂત નેતાઓ નવી રણનીતિ ઘડી રહ્યાં છે.
ખેડૂત આંદોલન છે અને ચાલતુ રહેશે. ગરમી હોય કે વરસાદ, અમારુ આંદોલન ચાલતુ રહેશે. ઉનાળામા બોર્ડર પર જનરેટર લગાડવામાં આવશે અને જે રીતે ગામોમાંથી પાણી આવ્યું તે રીતે ડીઝલ પણ આવશે. બોર્ડર પર ખેડૂતો એસી અને કૂલરમાં આરામ કરશે. આંદોલન સ્થળ જ અમારા ઘર છે.
અમે દિલ્હીના મહેમાન છીએ, સરકાર વીજળીના મીટર આપે
સરકારે ખેડૂતોના માર્ગમાં જે ખીલ્લા ઠોક્યા છે તે ઉખેડી લેવામાં આવશે. અમે દિલ્હીના મહેમાન છીએ, આવીશું, જઈશું અને ખેતીનુ કામ પણ કરતા રહીશું. સરકાર વાતચીત કરશે તો અમારો મોરચો પણ વાતચીત કરશે.
કિશાન મોરચો ખેડૂતોને કાનૂની સહાય પૂરી પાડશે
કિશાન મોરચાના બીજા નેતા રવિન્દર સિંહે જણાવ્યું કે 44 એફઆઈઆરના સંબંધમાં દિલ્હી પોલીસે 122 ખેડૂતોની ધરપકડ કરી છે અને કિશાન મોરચો આ તમામ ખેડૂતોને કાનૂની સહાય પૂરી પાડશે. મોરચાના નેતાઓએ દાવો કર્યો કે ખેડૂતોની સામે લૂંટ, ખૂનનો પ્રયાસ તથા પજવણીના ખોટા કેસ કરાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે કિશાન મોરચા દ્વારા દરેક ખેડૂતને રુ. 2000 ની સહાય પુરી પાડવામાં આવશે.
ટ્રેક્ટર રેલીમાં સામેલ 16 ખેડૂતોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
કિશાન મોરચાના મેમ્બર કુલદીપ સિંહે એવો આક્ષેપ કર્યો કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત જજ દ્વારા 26 જાન્યુઆરીની હિંસાની તપાસ થવી જોઈએ અને આ હિંસા પાછળનું ષડયંત્ર ખુલ્લુ પાડવું જોઈએ, તેમણે કહ્યું કે ખેડૂતોની સામે ખોટા કેસ કરાયા છે. તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલીમાં સામેલ 16 ખેડૂતોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.