કૃષિ કાયદાઓ રદ થયા બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે તેઓ શિયાળુું સત્રના પહેલા દિવસે 60 ટ્રેકટરો સાખે 1000 લોકોની રેલી કાઢીને સંસદ જશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કર્યું મોટું એલાન
શિયાળું સત્રના પહેલા દિવસે જશે સંસદ ભવન
60 ટ્રેકટર સાથે 1000 લોકોની રેલી કાઢી પહોચશે સંસદ
વડાપ્રધાન મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવામાં આવ્યા છે. તેમ છતા પણ ખેડૂત સંગઠનો આંદોલન યથાવત રાખવાની જીદ પકડીને બેઠા છે. આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા સંસદમાં પહેલા શિયાળું સત્રના દિવસે ટ્રેકટર રેલી કાઢવાનું એલાન કર્યું છે.
60 ટ્રેકટરો સાથે સંસદ પર કૂચ કરશે
29 નવેમ્બરે શીયાળું સત્રના પહેલા દિવસે 1000 લોકો 60 ટ્રેકટરો સાથે સંસદ પર કૂચ કરશે. મીડિયા સાથે વાતચીત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જે રસ્તાઓ સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે. તે રસ્તાઓ પરથી ટ્રેકટર નીકળશે. સાથેજ તેમણે કહ્યું પહેલા અમારા પર રસ્તા બ્લોક કરવાનો આક્ષેપ લાગ્યો હતો. પરંતુ ખેડૂતોએ રસ્તો બ્લોક નહોતો કર્યો.
રસ્તાઓ બ્લોક કરવા અમારા આંદોલનનો ભાગ નથી : ટિકૈત
રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે રસ્તાઓ બ્લોક કરવા અમારા આંદોલનનો ભાગ નથી. અમારું આંદોલન સરકાર સાથે વાત કરવાને લઈને છે જેથી અમે સીધા સંસદ જઈશું. રાકૈશ ટિકૈતે ટ્રેકટર રેલીનું એલાન પણ એવા સમયે કર્યું છે જ્યારે કેન્દ્રની કેબિનેટ મીટિંગ યોજાવાની છે.
1000 લોકો સાથે સંસદ જશે
આ બેઠકમાં કૃષિ કાયદાઓને પરત ખેંચવાના નિર્ણયને ફાયનલ કરવામાં આવશે. સંસદમાં શીયાળું સત્રના પહેલા દિવસે રદ કરેલ બિલોને રજું કરવામાં આવશે. જોકે ટિકૈતના કહેવા પ્રમાણે અન્ય મુદ્દાઓની સાથે એમએસપી કાયદાને રદ કરવાને લઈને એક હજાર લોકો સંસદમાં જવાના છે. જેમા 60 ટ્રેકટરો સાથે રેલી લઈને પહોચવાના છે.
MSP પર સરકારની પ્રતિક્રિયા જાણવી જરૂરી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે એમએસપીને લઈને પણ સરકાર દ્વારા શુ પ્રતિક્રિયા આપવામાં આવે છે. તેની તેઓ રાહ જોશે. તે સિવાય ગત વર્ષે 750 ખેડૂતોના મોત થયા તેની પણ જવાબદારી કેન્દ્રએ લેવી જોઈએ તેવું રાકેશ ટિકૈત દ્વારા કહેવામાં આવ્યું છે.