ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન હજું કમજોર નથી થયું. સતત અમારી લડાઈ ચાલૂ છે. રાકેશે કહ્યું કે અમારો દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી પરંતુ અમે કોઈ દબાણમાં ઝૂકવા નથી માંગતા.
પોલીસ પાછળ રહી અને ગુંડાઓ આગળ જતા રહ્યા- ટિકૈત
દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી- ટિકૈત
6 ફેબ્રુઆરીએ દિલ્હી- એનસીઆરની પાસે ચક્કા જામ નહીં થાય
પોલીસ પાછળ રહી અને ગુંડાઓ આગળ જતા રહ્યા- ટિકૈત
આંદોલનના સમયે ભાવુક થઈને રોકેશે કહ્યું કે પોલીસ જબરજસ્તી પ્રદર્શનસ્થળ ખાલી કરાવવા ઈચ્છે છે. પરંતુ પોલીસ પાછળ રહી અને ગુંડાઓ આગળ જતા રહ્યા. પોલીસ જો અમને ઉઠાવશે તો વાંધો નથી પણ ગુંડાઓ આગળ કેમ આવી રહ્યા છે.
દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી- ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકેત બોલ્યા કે ખેડૂત- જવાનોને જે રીતે ભીડાવી દેવાયા છે તે ખોટું છે. જો સરકાર ઈચ્છે કે દબાણથી આંદોલન ખતમ થઈ જશે તો એવું નહીં થાય. વાતચીતથી આંદોલન ખતમ થશે. અમે અમારા મુદ્દાઓ પર અડેલા છીએ. દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી.
6 ફેબ્રુઆરીએ દિલ્હી- એનસીઆરની પાસે ચક્કા જામ નહીં થાય
6 ફેબ્રુઆરીના ચક્કા જામને લઈને ટિકેતે કહ્યું કે દિલ્હી- એનસીઆરની પાસે એવું કંઈ નહીં થાય. ખેડૂત પોત પોતાની જગ્યાએ રસ્તા બંધ કરશે અને પ્રશાસનને જ્ઞાપન સોંપશે. દિલ્હીની સીમાઓ પર લાગેલા બેરિકેડિંગ અને કિલ્લા પર રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તો દિલ્હી જઈ જ નથી રહ્યા.
...જેથી ખેડૂતો અને શીખોને બદનામ કરી શકાય
ગણતંત્ર દિવસે નિકળેલી ટ્રેક્ટર રેલીને લઈને રાકેશે કહ્યું કે આની તપાસ થવી જોઈએ. અમારા ખેડૂતો કોઈના પર હુમલો કરી જ ન શકે. પોલીસવાળા અમારા જ પરિવારના છે. રાકેશે વધુમાં કહ્યું કે દરેક કહે છે સંસદ જઈશું પરંતુ કોઈ નથી જતું. તો પછી લાલ કિલ્લે જે ગયા તેમને રસ્તો કેમ આપવામાં આવ્યો, રાકેશ ટિકૈતે કહ્યું કે લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાનું ષડયંત્ર બનાવાયું હતુ. જેથી ખેડૂતો અને શીખોને બદનામ કરી શકાય.