ભારતીય કિસાન યુનિયન રાકેશ ટિકૈતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર આજે કેબિનેટમાં ત્રણ કાયદાને પરત લેવાનો પ્રસ્તાવ રજૂ કરશે.
ટિકૈતે મોદી સરકારને આપી નવી ડેડલાઈન આપી
કૃષિ કાયદો પાછો ખેંચવા માટેનું બિલ આજે કેબિનેટમાં રજૂ થઈ શકે છે
અગાઉ પણ રાકેશ ટિકૈતે મોદી સરકાર પર આક્ષેપ લગાવ્યા હતાં
ટિકૈતે મોદી સરકારને આપી નવી ડેડલાઈન આપી
PM મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતો સંતુષ્ટ નથી. એક વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે MSP પર પણ વાત કરવી જોઈએ.બુધવારે,ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ત્રણ કાયદા પાછા ખેંચવાના સંદર્ભમાં કહ્યું -જો સરકારે જાહેરાત કરી હોય તો તેઓ પ્રસ્તાવ લાવી શકે છે, પરંતુ MSP અને 700 ખેડૂતોના મૃત્યુ પણ અમારો મુદ્દો છે. ટિકૈતે કહ્યું કે સરકારે પણ આ અંગે વાત કરવી જોઈએ. સરકારને આ મુદ્દાઓ પર વાત કરવા માટે નવી સમયમર્યાદા આપતાં તેમણે કહ્યું કે જો સરકાર 26 જાન્યુઆરી પહેલા તેની સાથે સંમત થશે તો અમે નીકળી જઈશું. તે જ સમયે, પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી વિશે, BKU નેતાએ કહ્યું કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી અમે આ મુદ્દા પર વાત કરીશું.
કાયદો પાછો ખેંચવા માટેનું બિલ આજે કેબિનેટમાં રજૂ થઈ શકે છે
ટિકૈતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર આજે કેબિનેટમાં ત્રણેય કાયદાઓને પરત લેવાનો પ્રસ્તાવ રજૂ કરશે.એક મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે પીએમના નિવાસસ્થાને યોજાનારી કેબિનેટની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા સંબંધિત બિલને કેબિનેટની મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ વડાપ્રધાન કાર્યાલય (PMO)સાથે ચર્ચા કર્યા બાદ આ બિલને અંતિમ સ્વરૂપ આપ્યું છે.સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આ બિલ લોકસભામાં મૂકી શકે છે.
અગાઉ પણ રાકેશ ટિકૈતે મોદી સરકાર પર આક્ષેપ લગાવ્યા હતાં
અગાઉ સોમવારે ટિકૈતે સરકાર પર ખેડૂતોને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેમની સાથે વાત કરવી જોઈએ, નહીં તો "અમે ક્યાંય જવાના નથી." મોદી સરકારને મનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો. સરકાર કહે છે કે તેના ત્રણ કૃષિ કાયદા હાનિકારક હતા અને અફસોસની વાત એ છે કે આ કાયદાઓ પાછા ખેંચીને પણ આ સરકારે ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો.ખેડૂત નેતાએ એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ની બાંયધરી આપતા કાયદાની માંગનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, જેને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે "સમર્થન" કર્યું હતું.