કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 2 મહિનાથી આંદોલન યથાવત છે અને સમાધાન પણ કોઇ મળી રહ્યું નથી. ત્યારે આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે સૂચક નિવેદન આપ્યું હતું.
બોર્ડર પર ખેડૂતોનું આંદોલન યથાવત
રાકેશ ટિકૈતે કહ્યું- અમારે ફોન કરવો છે PM મોદી નંબર તો આપો
કાયદા પરત નહીં ખેંચાય ત્યાં સુધી ઘર વાપસી નહીં કરવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ તાજેતરમાં યોજાયેલી સર્વદળીય બેઠકમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો તેમનાથી એક ફોન કોલ જેટલા જ દૂર છે. આ મામલે આજે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, નંબર જણાવો, અમે લોકો ફોન કરવા માગીએ છીએ.
નંબર આપો અમારે ફોન કરવો છે
ટિકૈતે વધુમાં કહ્યું કે, અમારો જે ફોન છે તેના પર લોકો અમને ગાળો આપે છે, પરંતુ પ્રધાનમંત્રી એવા કોઇ ફોન કોલની વાત કરી રહ્યા છે તો અમને નંબર આપો.
કાયદો પાછો નહીં તો ઘર વારસી નહીં
ભારતીય ખેડૂત સંઘ (બિન રાજકીય) નેતા રાકેશ ટીકૈતે મંગળવારે કહ્યું હતું કે ખેડૂત આંદોલન ઓક્ટોબર પહેલા સમાપ્ત થશે નહીં અને અમારું સૂત્ર એ છે કે જો કાયદો પાછો નહીં લેવાયો તો તે ઘરે પાછો નહીં જઇએ.
સંજય રાઉતે ખેડૂતોની લીધી મુલાકાત
શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત મંગળવારે ગાઝીપુર બોર્ડર પહોંચીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતને મળ્યાં હતા. ટિકૈત સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંજત રાઉતે કહ્યું કે અમે પહેલા જ દિવસથી કૃષિ કાયદાનો વિરોધ કરતા રહ્યાં છીએ.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મને ખાસ કરીને ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મોકલ્યો છે. મુખ્યપ્રધાન ઠાકરેએ ખેડૂત નેતા રાકેશ ટિકૈતને સંદેશ મોકલ્યો છે કે શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોના ટેકામાં ઊભી છે. શિવસેના પ્રમુખ ટિકૈત સાથે પણ વાત કરવાના છે. આંદોલન રસ્તા પર છે અને રસ્તા પર રહેશે.
દિલ્હીની સીમાઓ કિલ્લામાં ફેરવાઇ
દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના પ્રદર્શન સ્થળોને સોમવારે કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. પોલીસે ત્યાં સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેટની સંખ્યા વધારી દીધી છે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓના આવન જાવનને વધારે મર્યાદિત કરવા માટે પોલીસ કર્મીઓની દેખરેખમાં મજૂરોને સિંધુ બોર્ડર પર મુખ્ય રાજમાર્ગની પાસે સિમેન્ટના બે બેરિયરની વચ્ચે આયરન રૉડ લગાવતા જોવા મળ્યા છે.
ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા
દિલ્હી હરિયાણા સીમા પર રાજમાર્ગના એક અન્ય ભાગમાં જામ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં સિમેન્ટની અસ્થાયી દિવાલ ઉભી કરવામાં આવી છે. દિલ્હી - ઉત્તર પ્રદેશની સીમા પર ગાજીપુરમાં વાહનોની અવરજવર રોકવા માટે અનેક સ્તરીય બેરીકેડ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા છે.
સેંકડો સુરક્ષાકર્મીઓ ત્યાં તૈનાત
ગાજિયાબાદ પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓને દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ખાલી કરવાનું અલ્ટીમેટમ આપવાની આશંકા વધી ગઈ હતી કે પ્રદર્શનકારીઓને ગાજીપુરથી જબરજસ્તી હટાવી દેવામાં આવશે પરંતુ રાકેશ ટિકૈતની ભાવનાત્મક અપીલ પર ત્યાં ખેડૂતોનું મહેરામણ ઉમટ્યુ. પ્રોવિંશિયલ આર્મ્ડ઼ કોન્સ્ટેબુરી (પીએસસી) અને ત્વરિત કાર્યવાહી દળ (આરએએફ) સહિત સેંકડો સુરક્ષાકર્મીઓ ત્યાં તૈનાત છે.
નજર રાકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
સ્થિતિ પર નજર રાકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વાહનોની તપાસ ચાલી રહી છે કેમ કે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી બીકેયૂના સમર્થનમાં ઘણી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.