ચોધરી મહેન્દ્ર સિંહ ટીકૈત દ્વારા બનાવવામાં આવેલા ભારતીય કિસાન યુનિયન એટલે કે બીકેયુના તેમની પુણ્યતિથિ પર જ બે ફાડિયા થયા છે. ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. અહીં ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા રાકેશ ટિકૈતને બીકેયુમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમના ભાઈ નરેશ ટિકૈતને પણ પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
રાજેશ ચૌહાણને પ્રમુખ બનાવાયા
રાકેશ ટિકૈતની જગ્યાએ રાજેશ ચૌહાણને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બીકેયુના સંસ્થાપક સ્વ.ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિના અવસર પર 15 મે, રવિવારે લખનઉમાં શેરડી ખેડૂત સંસ્થામાં બીકેયુ નેતાઓની એક મોટી બેઠક મળી હતી. રાકેશ ટિકૈત પણ શુક્રવારે રાત્રે બીકેયુ નેતાઓને તેમની નારાજગીના સમાચારથી મનાવવા માટે લખનઉ પહોંચ્યા હતા. જોકે, તેઓ આ કવાયતમાં સફળ થઈ શક્યા નહતા.
બીકેયુના ઘણા સભ્યો રાકેશ ટિકૈતની ગતિવિધિઓ પર ગુસ્સે
ટિકૈત પરિવાર સામે ખેડૂતોમાં નારાજગી બાદ ભારતીય કિસાન સંઘમાં તિરાડ પડવાના સંકેત મળી રહ્યા છે. વાસ્તવમાં બીકેયુના ઘણા સભ્યો સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની ગતિવિધિઓ પર ગુસ્સે છે. કેટલાક ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાકેશ ટિકૈતે તેમના રાજકીય નિવેદનો દ્વારા તેમના અરાજકીય સંગઠનને રાજકીય આકાર આપ્યો હતો.
રાકેશ ટીકૈત ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો બન્યા હતા
ઉલ્લેખનીય છે કે રાકાશે ટીકૈત ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો હતા અને તેમની આગેવાનીમાં ખેડૂત આંદોલન ચાલ્યું હતું અને આખરે સરકારે તેમની માગ માનવી પડી હતી.