ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે લખીમપુર ખીરી પહોચ્યા હતા. જ્યા તેમણે એવી માગ કરી છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામું આપે નહી તો તેઓ મોટું આંદોલન કરશે
લખીમપુર પહોચ્યા ખેડૂત તેના રાકેશ ટિકૈત
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામું આપે તેવી કરી માગ
રાજીનામું નહી આપે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી
इस्तीफा (केंद्रीय मंत्री का) नहीं होगा तो यहां से आंदोलन की घोषणा करेंगे। लखनऊ में बड़ी पंचायत होगी। देश के हर ज़िले में अस्थि कलश जाएंगे,लोग श्रद्धांजलि देंगे। 24 अक्टूबर को लोग उन्हें प्रवाहित करेंगे, 26 तारीख को लोग लखनऊ आएंगे:उ. प्र. के लखीमपुर खीरी में किसान नेता राकेश टिकैत pic.twitter.com/VKHcYgsqVz
લખીમપુરમાં જે હિંસા થઈ હતી તે હિંસામાં જે ખેડૂતોના મોત થયા હતા તેમની આત્માની શાંતિ માટે આજે અંતિમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઘટના સ્થળથી થોડેકજ દૂર રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પણ પહોચ્યા હતા. જ્યા તેમણે પહોચ્યા બાદ ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા.
મોટું આંદોલન કરવાની ચીમકી
સમગ્ર મામલે તેમણે સૌથી પહેલા તો એવી માગ કરી હતી કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપવું જોઈએ. જો તેઓ રાજીનામું નહી આપે તો મોટું આંદોલન કરવામાં આવશે.મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મંત્રીના પુત્રની ધરપકડ પણ રેક કાર્પેટ વાળી છે. સાથેજ એવું પણ કીધું કે તેના રિમાંડ પણ ગુલદસ્તા વાળા છે.
અજય મિશ્રાની ધરપકડ કરવાની માગ
વધુમાં રાકૈશ ટિકૈતે એવું પણ કહ્યું કે કોઈ પણ પોલીસ અધિકારીમાં પૂછપરછ કરવાની હિંમત નથી. સમગ્ર મામલે તેમણે એવી માગ કરી હતી કે રાજ્ય મંત્રી અજય મિશ્રા રાજીનામું આપવા જોઈએ સાથેજ તેમની ધરપકડ પણ થવી જોઈએ. જો આવું કરવામાં નહી આવે તો તેઓ મોટું આંદોલન કરશે તેવી તેમણે ધમકી આપી છે.
સમગ્ર દેશમાં આ લડાઈ લડીશું: રાકેશ ટિકૈત
હિંસા થયા પછી સરકાર અને ખેડૂતો વચ્ચે જે મધ્યસ્થતા થઈ તેને લઈને ગમા સવાલો ઉઠી રહ્યા છે.જે મામલે રાકૈશ ટિકૈતે એવી માગ કરી છે કે સૌથી પહેલાતો અજય મિશ્રા રાજીનામું આપે. જો તેઓ રાજીનામું નહી આપે તો મોટું આંદોલન થશે. સાથેજ તેમણે કહ્યું આ લડાઈ સમગ્ર દેશમાં લડવામાં આવ્યા