મધ્ય પ્રદેશના બાલાઘાટના સોનાના વેપારી રાકેશ સુરાના પોતાની લગભગ 11 કરોડની સંપત્તિ છોડીને પત્ની અને દિકાર સાથે 22 મેના રોજ વિધિવત રીતે જયપુરમાં દીક્ષા લેશે.
આજના આ યુગમાં સુખમય જીવન દરેક ઈચ્છા હોય છે
મધ્ય પ્રદેશનું આ દંપત્તિ કરોડોની સંપત્તિ દાનમાં આપી
વૈરાગ્યનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે
મધ્ય પ્રદેશના બાલાઘાટના સોનાના વેપારી રાકેશ સુરાના પોતાની લગભગ 11 કરોડની સંપત્તિ છોડીને પત્ની અને દિકાર સાથે 22 મેના રોજ વિધિવત રીતે જયપુરમાં દીક્ષા લેશે. તેમણે પોતાની સંપત્તિ ગૌશાળા અને અન્ય ધાર્મિક સંસ્થાઓને દાન કરી દીધી છે. પરિવારે ગુરૂ મહેન્દ્ર સાગરજીમાંથી પ્રેરણા લઈને સાંસરિક જીવન ત્યાગીને સંયમ અને આધ્યાત્મનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.
પત્ની અમેરિકામાં ભણેલી છે
રાકેશ સુરાનાએ જણાવ્યું હતું કે, તેમની પત્ની લીના સુરાનાને નાનપણથી સંયમના રસ્તે જવાની ઈચ્છા હતી, લીના સુરાનાનું પ્રાથમિક શિક્ષણ અમેરિકામાં લીધું અને બાદમાં બેંગલુરૂ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. બંને દિકરા અમય સુરાના પણ ફક્ત ચાર વર્ષની ઉંમરમાંથી સંયમના માર્ગે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, નાની ઉંમરના કારણે અમયને સાત વર્ષ સુધી રાહ જોવી પડી હતી.
સોનાના વેપારી છે
સુરાનાએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં તેમની માતાએ દીક્ષા લીધી હતી. આ ઉપરાંત રાકેશ સુરાનાની બહેને 2008માં દીક્ષા લીધી હતી. રાકેશ સુરાના બાલાઘાટમાં સોના-ચાંદીના વેપાર સાથે જોડાયેલા છે અને એક સમયે નાની એવી દુકાનમાં સોનાનો વેપાર કરનારા રાકેશ આજે બુલિયન માર્કેટમાં બહું મોટુ નામ કમાઈ રહ્યા છે.
ગરીબો અને ગૌશાળામાં કરોડોનું દાન કર્યું
આધુનિકતાના આ યુગમાં સુખમય જીવનની તમામ સુવિધાઓ તેમના ઘરમાં હતી. તેમણે કરોડોની સંપત્તિ ભેગી કરી હતી. પણ સુરાના પરિવાર પોતાની વર્ષોની કમાણી દાન કરી આધ્યાત્મ તરફ આગળ વધી રહ્યા છે. રાકેશ સુરાનાએ જણાવ્યું કે, તે પોતાની તમામ સંપત્તિ સમાજ, ગરીબો અને ગૌશાળામાં દાન કરી ચુક્યા છે.
આપને જણાવી દઈએ કે, રતલામના 10 વર્ષના ઈશાન કોઠારી અને રતલામની બે જોડિયા બહેનો તનિષ્કા અને પલક પણ 26 મેના રોજ દીક્ષા લેશે. તેમની મોટી બહેન દીપાલી 5 વર્ષ પહેલા જ દીક્ષા લઈ ચુકી છે. ત્રણેય બાળકો સાંસરિક જીવનનો ત્યાગ કરી વૈરાગ્યના રસ્તે નિકળી પડશે.