પોતાના પરિવારની સાથે એક એપાર્ટમેન્ટ બ્લોક સ્થિત બે માળના સુંદર ઘરમાં રહેતા રાકેશ ઝુનઝુનવાલા જે 14 માળના ઘરને નવુ ઘર બનાવવા માંગતા હતા. લાંબા સમય સુધી સાથે રહેવાની તેમની ઈચ્છા પરીપૂર્ણ ના થઇ.
રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ મુંબઈનું આ ઘર ફરીથી ચર્ચામાં આવ્યું
જાણો, ઝુનઝુનવાલાના આ ઘરની શું છે ખાસિયત
લોકોએ આ ઘરની તુલના અંબાણી પરિવારના એન્ટિલિયા સાથે કરી
આધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ
રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ મુંબઈના માલાબાર હિલ્સ વિસ્તારમાં બનાવેલુ તેમનુ ઘર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આવો જાણીએ ઝુનઝુનવાલાના આ ઘરની શું ખાસિયત છે. શેર માર્કેટના ધનકુબેર ઝુનઝુનવાલાના ઘરની તુલના લોકોએ અંબાણી પરિવારના એન્ટીલિયા સાથે કરી. આ બિલ્ડિંગને મહેલ પણ કહેવામાં આવ્યો. જેમાં આધુનિક સુવિધાઓ અને કમ્ફર્ટ ખૂબ છે. 14 માળની આ બિલ્ડિંગને રાકેશ અને તેની પત્નીએ બે વખતમાં ખરીદ્યુ હતુ.
રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્નીનો બેડરૂમ 12મા માળે
રાકેશ ઝુનઝુનવાલાએ પહેલા આ બિલ્ડિંગના સાત ફ્લોર ખરીદ્યા હતા. થોડા વર્ષ બાદ તેમણે બાકી બચેલા ફ્લોર પણ ખરીદ્યા. મની કંટ્રોલના રિપોર્ટ મુજબ 70 હજાર સ્કવેર ફીટ જગ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ રાકેશ અને તેની પત્નીનો બેડરૂમ 12મા માળે છે. આ સેટમાં એક ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા, સેપરેટ બાથરૂમ, બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. આ ઉપરાંત સ્ટાફ માટે અલગ વૉશરૂમ છે.
ઝુનઝુનવાલાની આ પ્રોપર્ટીનો એરિયા 2700 વર્ગ ફૂટ
માલાબાર હિલ્સના બીજી ખેરી માર્ગ પર ઝુનઝુનવાલાની આ પ્રોપર્ટીનો એરિયા 2700 વર્ગ ફૂટ છે. અહીં પહેલા 14 ફ્લેટ હતા જેને બિગબુલે 371 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પછી આ ફ્લેટ્સને તોડીને નવો બંગલો બનાવવામાં આવ્યો. અહીં બેડરૂમ સિવાય ડ્રેસિંગ રૂમ, લિવિંગ રૂમ અને અલગ બાથરૂમ પણ છે. અહી અમુક ફ્લોર પર બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. 11મા માળે બાળકોનો બેડરૂમ છે. ચોથા માળે મહેમાનો માટે બેડરૂમ છે.