નાગરિકતા સુધાર બિલને આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક અમિત શાહ ઉપર ભડક્યા હતા જેના પગલે રાજ્ય સભા TVએ થોડા સમય માટે પોતાનું પ્રસારણ અટકાવી દીધું હતું.
ભારત સરકારની ચેનલ રાજ્યસભા TVએ બુધવારે પોતાનું જીવંત પ્રસારણ થોડા સમય માટે અટકાવી દીધું હતું. આ સમયે રાજ્યસભામાં નાગરિકતા સુધાર બિલ મુદ્દે આક્રમક ચર્ચા થઇ રહી હતી. આ પગલું રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુના આદેશથી લેવામાં આવ્યું હતું.
અમિત શાહ આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક અમિત શાહ ઉપર ભડક્યા હતા.
નાયડુએ વિપક્ષના સભ્યોને અમિત શાહના ભાષણમાં વારંવાર વિક્ષેપ ન પાડવા ચેતવણી આપી હતી અને તેમને એમ પણ ચેતવણી આપી હતી કે જો આ વર્તન ચાલુ રહેશે તો તેઓ જે તે સાંસદને એ દિવસ માટે સભામાંથી સસ્પેન્ડ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ દરમિયાન જે પણ બોલવામાં આવશે એ રેકોર્ડ ઉપર નોંધવામાં નહિ આવે.
આ જ સમયે બપોરે 12:24એ રાજ્યસભાએ તેનું જીવંત પ્રસારણ બંધ કરી દીધું હતું. રાજ્યસભા TVના સૂત્રોના મતે જયારે ચેરમેન વડે લાલ લાઈટનું બટન દબાવવામાં આવે તે રાજ્યસભા TVને ટેલિકાસ્ટ બંધ કરવાનું સિગ્નલ આપે છે.
થોડા જ સમયમાં રાજ્યસભા TVએ તેનું નિયમિત પ્રસારણ ફરીથી ચાલુ કર્યું જેમાં સભામાં ફરી એક વખત વ્યવસ્થા જળવાઈ ગઈ હતું અને અમિત શાહે પોતાનું ભાષણ આગળ ધપાવ્યું હતું.