કુંડળી અથવા હથેળીમાં રાજયોગ હોય તો ભાગ્ય ચમકે છે. જીવનમાં ધન-દોલત, માન-સન્માન અને બધા સુખ મળે છે. હથેળીના અમુક ખાસ નિશાનોથી રાજયોગ ઓળખી શકો છો.
હથેળી ચેક કરીને નક્કી કરો કે તમારે રાજયોગ છે કે નહીં?
જો આ ચિન્હો હશે તો જીવનમાં તમામ ધન-વૈભવ અને ઐશ્વર્ય મળશે
રાજયોગથી માણસ સત્તા સુખ અને ઊંચુ પદ કરે છે પ્રાપ્ત
રાજયોગ અંગે હસ્તરેખા શાસ્ત્ર અને સમુદ્ર શાસ્ત્રમાં કરાયો છે ઉલ્લેખ
જીવનમાં ખૂબ ધન-દોલત અને સુખ મેળવવાની લાલસા બધાના મનમાં હોય છે. હથેળીના નિશાન, ચિન્હો દ્વારા જાણી શકાય છે કે કયા જાતકોને પોતાના જીવનમાં ધન-વૈભવ, ઐશ્વર્ય અને સુખ-આરામ મળશે. હથેળીમાં બનેલો રાજયોગ બતાવે છે કે વ્યક્તિ પોતાનુ જીવન શાનદાર રીતે જીવશે. આ રાજયોગ અંગે હસ્તરેખા શાસ્ત્રથી લઇને સમુદ્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાજયોગ બતાવે છે કે વ્યક્તિ સત્તા સુખ મેળવશે અને ઊંચા પદ પર પહોંચશે.
હથેળીમાં રાજયોગના સંકેત
જે લોકોની હથેળીના મધ્યમાં ઘોડા, ઘડો, ઝાડ, દંડ અથવા સ્તંભનુ ચિન્હ હોય તેવા જાતકો પોતાના જીવનમાં રાજા જેવુ સુખ જરૂર મેળવે છે. તેઓ ખૂબ અમીર બનવા માંગે છે અને બધા સુખ ભોગવે છે.
જે જાતકોનુ માથું પહોળું, વિશાળ અને ગોળ હોય. આ સાથે આંખો સુંદર હોય એવા જાતકો પણ રાજા જેવુ જીવન જીવે છે. આવો ચહેરો રાજયોગનો સંકેત આપે છે.
જે લોકોના હાથમાં ધનુષ, ચક્ર, માળા, કમળ, ધ્વજા, રથ, આસન અથવા ચતુષ્કોણ હોય. તેના પર માં લક્ષ્મીની કૃપા અપાર વરસે છે. તેમની પાસે ખૂબ નાણાં રહે છે. આ સાથે તેઓ ખૂબ માન-સન્માન મેળવે છે.
જે લોકોના હાથમાં સૌથી નાની એટલેકે અનામિકા આંગળીની મૂળમાં પુણ્ય રેખાા હોય અને મણિબંધથી શનિ રેખા વચ્ચેની આંગળી તરફ જાય તો તેઓ પણ રાજસુખ ભોગવે છે.
હાથના અંગૂઠામાં માછલી, છત્રી, અંકુશ, વીણા, સરોવર, હાથીનુ ચિન્હ હોય. આવા જાતકો ખૂબ જ યશસ્વી જીવન જીવે છે. તેઓ કરોડોની સંપત્તિના માલિક બને છે.
હાથમાં તલવાર, પહાડ, હળનુ ચિન્હ હોવુ પણ માં લક્ષ્મીની અપાર કૃપા હોવાની નિશાની છે.
હાથમાં સૂર્ય રેખા જઇને માથાની રેખા સાથે મળે અને પછી આ ગુરૂ પર્વત તરફ ઝુકીને ચતુષ્કોણ બનાવે તો આવા જાતકો સત્તામાં વધુ ઊંચુ પદ પ્રાપ્ત કરે છે.