ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં કોંગ્રેસને સંભળાવતા કહ્યું કે મારુ મોં ન ખોલાવો તો સારુ, 100 કરોડની વસૂલી થઈ રહી હતી.
ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ્યસભામાં કોંગ્રેસ પર વરસ્યા
મહારાષ્ટ્ર વિવાદને લઈને કોંગ્રેસને સંભળાવ્યું
સાંસદોને પેટ્રોલ અને ડીઝલ પાછળનું ગણિત પણ સમજાવ્યું
જ્યોતિરાદિત્ય સિંધિયા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા રુ.100 કરોડની વસૂલીના આરોપ પર કોંગ્રેસનો આવો કટાક્ષ કર્યો હતો.
રાજ્યસભામાં નાણા બીલ પર ચર્યા ચાલી
રાજ્યસભામાં નાણા બીલ પરની ચર્યા દરમિયાન સિંધિયા બોલી રહ્યાં હતા ત્યારે કોંગ્રેસના ઘણા સાંસદોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે તેમને ટોકવા લાગ્યાં હતા ત્યારે સિંધિયાએ કટાક્ષ કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પબ અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની વસૂલી થઈ રહી હતી તે પણ ગૃહમંત્રી દ્વારા. તેમણે કોંગ્રેસ સાંસદોને પેટ્રોલ અને ડીઝલ પાછળનું ગણિત પણ સમજાવી દીધું.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે પેટ્રોલ-ડીઝલના ભાવ
સિંધિયાએ કહ્યું કે એ વાત સાચી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. તે પણ સાચું છે કે જે વધારો થયો છે તેને વહેંચણી શું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર ખર્ચ કાઢ્યા બાદ 40 ટકા હિસ્સો રાજ્ય અને 60 ટકા હિસ્સો કેન્દ્ર સરકારને મળે છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સૌથી વધારે છે. અહીં તમે સરકારને દુહાઈ આપી રહ્યાં છો પરંતુ ત્યાં કેમ કોઈ પગલાં ભરતા નથી. હું તો એટલું જ કહેવા માગું છું કે જેમના ઘર કાચના હોય તેમણે બીજા પર પથ્થરો ન ફેંકવા જોઈએ. રાજ્યસભામાં બુધવારે કોંગ્રેસે સરકારની આર્થિક નીતિઓની ઉગ્ર ટીકા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે કોવિડ મહામારીના પહેલા દેશની ઈકોનોમી પાટા પરથી ઉતરી ચૂકી હતી. કેન્દ્ર સરકાર તેની નિષ્ફળતા છુપાવવા કોરોનાનો સહારો લઈ રહી છે. કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ રાજ્યસભામાં એવો આરોપ લગાવ્યો કે કોરોના કાળ પહેલા જ ઈકોનોમીની હાલત ખરાબ હતી અને તેના સુધારા માટે બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નથી.