રાજ્યના નાગરિકોની સમસ્યા અને રજૂઆતોને ટેકનોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો કાર્યક્રમ 'રાજ્ય સ્વાગત'આ મહિને મૂલતવી રાખવામાં આવ્યો છે. 23 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો છે.
23 જૂને નહીં યોજાય રાજ્ય સ્વાગત કાર્યક્રમ
મહત્વનું છે કે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવે છે. જેમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળતા હોય છે અને સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ આગામી 23 જૂન 2022ના રોજ ગાંધીનગરમાં યોજાનારો આ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહિ.
પીએમ મોદીએ શરૂ કર્યો હતો સ્વાગત કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓએ એટલે કે 2003થી આ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.