રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ધ્વનિ મત સાથે જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સંશોધન) બિલ 2019 પસાર કરાયું. મંગળવારે તેને રાજ્યસભામાં ચર્ચા માટે લાવવામાં આવ્યું. ત્યારબાદ તેને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું. આ સંશોધન બિલમાં જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલના ટ્ર્સ્ટમાં કોંગ્રેસના અધ્યક્ષને સ્થાયી સભ્ય તરીકે હટાવવાની જોગવાઇ છે.
રાજ્યસભામાં જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સંશોધન) બિલ 2019 પસાર
મંગળવારે તેને રાજ્યસભામાં ચર્ચા માટે લાવવામાં આવ્યું
હત્યાકાંડ બાદ કોંગ્રેસની પહેલ પર જલિયાવાલા બાગ ટ્રસ્ટનું ગઠન કરાયું હતું
આ વિધેયક લોકસભામાં પહેલી વાર પસાર થઇ ચૂક્યું છે. આ બિલના પાસ થતા પહેલા સંસદમાં ભારે હંગામો પણ થયો. સંસદમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારથી જલિયાવાલા બાગ ટ્રસ્ટથી ટ્રસ્ટી મંડળથી કોંગ્રેસ અધ્યક્ષના સ્થાયી સદસ્ય બનાવવાની જોગવાઇને ખતમ કરવાના કાનૂની પ્રસ્તાવને પાછા લેવાનો અનુરોધ કર્યો.
આ પહેલા આ બિલને 16મી લોકસભાના શિળાયુ સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસમા તેને ફગાવી દેવાયુ હતું. વર્તમાન વ્યવસ્થા અનુસાર, ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
કોંગ્રેસની પહેલ પર થયું હતું ટ્રસ્ટનું ગઠન
રાજ્યસભામાં મંગળવારે જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સંશોધન) બિલ 2019 પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવાએ જલિયાવાલા બાગથી કોંગ્રેસના ભાવનાત્મક લગાવને ઇતિહાસનું સત્ય બતાવવા કહ્યું કે 13 એપ્રિલ 1919એ થયેલા આ જઘન્ય હત્યાકાંડ બાદ કોંગ્રેસની પહેલ પર જલિયાવાલા બાગ ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સૈનિકોએ 12 એપ્રિલ 1919માં અમૃતસરમાં નિર્દોષ લોકોની શાંતિપૂર્ણ સભા પર ફાયરિંગ કર્યું હતું.