ઉત્પાદન સેકટરમાં નવી સામેલ થનાર કંપનીઓ માટે સારા સમાચાર છે. સંસદ દ્વારા કરવેરા કાયદા સુધારણા બિલ 2019ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં 1 ઓક્ટોબર, 2019 પછી ઉત્પાદન સેકટરમાં આવનાર અને 2023 સુધીમાં ઉત્પાદન કામ શરૂ કરનાર કંપનીઓને 15 ટકાના ઘટાડેલા દરથી ટેક્સ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, માઇનિંગ કંપની અને પુસ્તક પ્રિન્ટિંગનું કામ ઉત્પાદન સેકટરમાં ઘટાડેલા ટેક્સને પાત્ર ગણાશે નહીં.
રાજ્યસભામાં કરવેરા કાયદા સુધારણા બિલ પાસ
કોર્પોરેટ ટેક્સ કંપનીઓને મળશે લાભ
નાણા મંત્રી નિર્મલા સીતારમણ મુજબ કમ્પ્યૂટર સોફ્ટવેર વિકાસ ભલે તે કોઇપણ રીતે અથવા કોઇપણ મીડિયામાં હોય, ખનન, માર્બલ બ્લોકમાં પરિવર્તન, સિલેન્ડરમાં ગેસ ભરવાનું કામ, પુસ્તકોનું પ્રિન્ટિંગ અને સિનેમાટોગ્રાફી ફિલ્મના ઉત્પાદન કામને ઉત્પાદનની નકારાત્મક યાદીમાં રાખવામાં આવ્યાં છે. આ ક્ષેત્રોમાં આવનાર કંપનીઓને ઘટાડેલા ટેક્સનો લાભ મળી શકશે નહીં. જો કે તેમની સમક્ષ 22 ટકા રેટને અપનાવાનો વિકલ્પ હશે.
નાણા મંત્રી સીતારમણે કહ્યું કે જે કંપનીઓ કોઇપણ પ્રકારના બીજા લાભ લેશે નહીં તેમને ઘટાડેલા ટેક્સનો લાભ આપવામાં આવશે. આ જ રીતે ઉત્પાદન સેકટરમાં 1લી ઓક્ટોબર બદ પ્રવેશ કરનાર નવી કંપનીઓને માત્ર 15 ટકાના ટેક્સ સ્લેબ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સેસ, સરચાર્જ સહિત 22 ટકામાં આવનારી કંપનીઓ માટે ટેક્સનો 25.2 અસરકારક ટેક્સ નવા ઉત્પાદન એકમ માટે 17.01 ટકા સુધી પહોંચી જશે.
નાણા મંત્રી સીતારમણે જણાવ્યું કે કંપની ટેક્સમાં ઘટાડાનું ભારતમાં રોકાણ વધારવાને લઇને પગલું લેવામાં આવ્યું છે. ટેક્સ ઘટાડાને લઇને અમેરિકા અને ચીનની બહાર રોકાણની સંભાવનાઓ જોતી કંપનીઓને આકર્ષિત કરી શકાશે. સીતારમણે આર્થિક વૃદ્ધિને વધારો આપવા માટે સુધારાને આગળ વધારવાનું કામ જારી રાખવાનું વચન આપ્યું છે.