અનામત આંદોલન મુદ્દે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ સરકાર પર નિશાન સાધ્યું. મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે સરકારના દ્વેષથી અનામત વર્ગને અન્યાય થયો છે. આવું ચલાવી લેવાય નહીં એટલે સમર્થનમાં આવ્યો છે. અમને રાજ્યસભામાં પણ આ મુદ્દો રજૂ કરીશું. મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે સમાજના જાગૃત લોકોએ એકઠા થવાની જરૂર છે. હાલ ગુજરાતમાં રાજકીય કટોકટી છે. ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી કેમ આ ચલાવી લે છે.