રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ હવે અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા અમદાવાદથી ત્રણ અને સુરતથી એક એક્સપર્ટ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે. તેમની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તો હવે તેમની તબિયતને લઇને ચેપીરોગોના નિષ્ણાંત ડૉ. અતુલ પેટેલ નિવેદન આપ્યું હતું.
અભય ભારદ્વાજની સારવાર વિશેષ તબિબોની ટીમ કરી રહી છે
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને ડૉક્ટર અતુલ પટેલે કહ્યું કે, હાલમાં અભય ભારદ્વાજની સ્થિતિ અતિગંભીર છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ સારવાર કરી રહી છે. ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહે છે. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહે છે. ફેફસાંમાં લોહિના ગઠ્ઠા જામી જવાને કારણે સ્થિતિ નાજુક બની છે.
વધુમાં ડૉક્ટરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 2 સપ્તાહમાં દર્દી રિકવર થઇ જતાં હોય છે. લોહીની નળી ખોલવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગઠ્ઠા ઓગળવા માટેની ખાસ દવા અપાય રહી છે. અભય ભારદ્વાજની હાલની સ્થિતિ અતિ જોખમી છે.
અમદાવાદના ત્રણ અને સુરતના એક એક્સપર્ટ ડૉક્ટરો કરી રહ્યા છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી કોરોનાના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે હાલ તેઓ ભારદ્વાજની સારવાર કરી રહ્યા છે. તો કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ રાજકોટમાં છે. ત્રણ ડૉક્ટર રાજકોટ મોકલવાનો મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો હતો. આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમદાવાદના 3 ડોક્ટર્સ સાથે આવ્યો છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અનુસાર આવ્યો છું. અભરય ભારદ્વાજની સારવાર માટે ડૉક્ટર્સ આવ્યા છે. એઈમ્સના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે સુરતના નિષ્ણાંત ડૉ.સમીર ગામીની પણ મદદ લેવાઈ છે. ડોક્ટર ગામીને પણ રાજકોટ બોલાવાયા છે.