ગત રાજ્યસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. અભય ભારદ્વાજની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા 3 ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી છે રહી કોરોનાની સારવાર
ત્રણ ડૉક્ટર રાજકોટ મોકલવાનો મુખ્યમંત્રીનો નિર્ણય
રાજ્યમાં હાલ ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ છે. એક પછી એક ભાજપના નેતાઓમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. પરંતુ કોરોનાને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી હોવાનું સામે આવ્યુ છે. ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે. કોરોના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ રાજકોટ આવી પહોંચ્યા છે. ત્રણ ડૉક્ટર રાજકોટ મોકલવાનો મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો છે. રાજકોટ હોસ્પિટલમાં ત્રણ ડૉક્ટર અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.
રાજ્યસભા સાંસદની તબિયત ગંભીર
રાજકોટ પહોંચેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, CM રૂપાણીની સૂચના અનુસાર અમદાવાદના 3 ડોક્ટર્સ સાથે આવ્યો છું. અભય ભારદ્વાજની સારવાર માટે ડોક્ટર્સ આવ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.