કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર આજે રાજ્યસભામાં જોવા મળી છે. વિપક્ષોના હોબાળા વચ્ચે કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભાની કાર્યવાહી ત્રીજી વખત સ્થગિત કરવામાં આવી
રાજ્યમાં આજે હંગામો ખત્મ થવાનું જોવા મળી રહ્યું નથી. સવારથી અત્યાર સુધીમાં ત્રીજી વખત સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી દળ ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યાં છે, જ્યારે રાજ્યસભાના ચેરમેન ચર્ચાથી ઇન્કાર કરી રહ્યાં છે.
કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળોએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી, પરંતુ રાજ્યસભાના ચેરમેને આજે ચર્ચાને લઇને ઇન્કાર કર્યો. ત્યાર બાદ વિપક્ષોએ વોકઆઉટ કરી દીધો.
વિપક્ષ સાંસદોએ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા, સરકાર મુર્દાબાદના નારાઓ સાથે ખેડૂત વિરોધી કાળા કાયદાને પરત લેવાની ગૂંજ સંસદમાં સાંભળવા મળી. જો કે તેને લઇને રાજ્યસભાની કાર્યવાહી બીજી વખત સ્થગિત કરી દેવામાં આવી.
ખેડૂતોના મુદ્દા પર વિપક્ષ સંસદમાં સરકારને ચોતરફથી ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે. ગઇકાલે બજેટ બાદ આજે રાજ્યસભામાં વિપક્ષી દળોએ કૃષિ કાયદોને ખેડૂત વિરોધી બતાવીને સૂત્રોચ્ચાર કર્યા. કાર્યવાહી સ્થગિત થયા બાદ 10.30 વાગ્ય ફરી સદન શરુ થયું, વિપક્ષી સાંસદોએ કૃષિ કાયદા વિરોધ સૂત્રોચ્ચાર શરૂ કરી દેતા ફરી 11.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યસભામાં વિપક્ષની નારેબાજી
ખેડૂતોના મુદ્દા પર રાજ્યસભામાં હંગામો યથાવત જોવા મળી રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂત વિરોધી કાળો કાયદો પર લેવાની નારેબાજી કરી. આ પહેલા કેટલાક વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માગ કરી નોટિસ આપી પરંતુ રાજ્યસભાના ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો.
ભાજપ સાંસદ જીવીએલ દ્વારા મંદિરનો મુદ્દો ઉઠાવમાં આવ્યો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીવીએલ નરસિંહ રાવે રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન નોટિસ આપી અને આંધ્ર પ્રદેશમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.