15 રાજ્યોની 57 રાજ્યસભા સાંસદ આગામી ત્રણ મહિનામાં રિટાયર થવા જઈ રહ્યા છે. આ 57 સીટો પર 10 જૂનના રોજ ચૂંટણી થવાની છે.
રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મ ભરાયા
57 રાજ્ય સભા સાંસદો આગામી 3 મહિનામાં રિટાયર થશે
10 જૂનના રોજ ચૂંટણી થવાની છે
15 રાજ્યોની 57 રાજ્યસભા સાંસદ આગામી ત્રણ મહિનામાં રિટાયર થવા જઈ રહ્યા છે. આ 57 સીટો પર 10 જૂનના રોજ ચૂંટણી થવાની છે. રિટાયર થનારા સાંસદોમાંથી ચાર કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેમાંથી પીયુષ ગોયલ, નિર્મલા સીતારમણ, મુખ્તાર અબ્બાસ નકવી અને રામચંદ્ર પ્રસાદ સિંહ એટલે કે, આરસીપી સિંહનો સમાવેશ થાય છે.
જો કે, ભાજપે પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. પણ મુખ્તાર અબ્બાસ નકવીને ટિકિટ નથી મળી. બીજૂ બાજૂ જેડીયુના કોટામાંથી કેન્દ્રમાં મંત્રી આરસીપી સિંહને પણ તેમની પાર્ટી તરફથી રાજ્યસભામાં નહીં મોકલાનો નિર્ણય કર્યો છે.
આરસીપી સિંહને રાજીનામું આપવું પડી શકે છે
હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે, આરસીપી સિંહ રાજ્યસભા ચૂંટણી નહીં લડે. ત્યારે આવા સમયે જો ફરી સંસદ નહીં પહોંચે તો તેમને મંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડશે. આવી જ રીતે મુખ્તાર અબ્બાસ નકવીનો મામલો છે. જો કે, બંને રાજ્યસભા સભ્યપદ સમાપ્ત થતાં તેમને રાજીનામું આપવું જરૂર નથી. નિયમ અનુસાર કોઈ પણ સદનના સભ્ય ન હોવા છતાં પણ આગામી છ મહિના સુધી મંત્રી બન્યા રહે છે. બંને જો છ મહિનાની અંદર લોકસભા અથવા રાજ્યસભામાં સભ્ય નથી બનતા તો પછી રાજીનામું આપવું પડે છે.
ભાજપના મોટા મુસ્લિમ ચહેરાઓ
ભાજપના ચાર મોટા મુસ્લિમ નેતા છે. તેમાંથી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, સૈય્યદ શાહનવાઝ હુસૈન, એમજે અકબર, જફર ઈસ્લામનો સમાવેશ થાય છે. શાહનવાઝ હાલમાં બિહાર સરકારમાં મંત્રી પણ છે.મુખ્તાર અબ્બાસ નકવી કેન્દ્રીય મંત્રી છે અને એમજે અકબર અને ઝફર ઈસ્લામ રાજ્યસભાના સાંસદ. મુખ્તાર નકવી સાથે સાથે એમજે અકબર અને ઝફર ઈસ્લામનો રાજ્યસભા કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. આ ત્રણેયને ભાજપે ફરીવાર ઉમેદવાર બનાવ્યા નથી.