રાજ્યસભાની ચૂંટણો રંગ બરાબર જામ્યો છે. ભાજપે તોડોના કેમ્પેન અંતર્ગત માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેના 8 ધારાસભ્યો તોડ્યા છે ત્યારે કોંગ્રેસ રિસોર્ટ પોલિટિક્સની અંતર્ગત MLAને અલગ અલગ જગ્યાએ લઈ ગયા છે. ત્યારે આજે 18 ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા છે.
સૌરાષ્ટ્રના તમામ MLAએ ધારી લઈ જવાશે
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જવા રવાના
સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો ગઢડા જવા રવાના
કોંગ્રેસને MLA તૂટવાનો ડર છે. જેને સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને ધારી લઈ જવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા છે. સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા છે. સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો ગઢડાથી ધારી જશે. રાજકોટના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને અત્યાર સુધી રખાયા હતા. ત્યારે ધારાસભ્યો તૂટવાના ડરે હવે ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી