ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો એ પછી એક કોંગ્રેસથી છેડો ફાડી રહ્યો છે ત્યારે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આજે મળનારી બેઠકમાં તમામ ધારસભ્યો હાજર રહેશે તેવું જણાવ્યું હતુ અને ભાજપ સરકાર, અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય દ્વારા હજુ સુધી રાજીનામું અપાયુ ન હોવાની વાત પણ કરી હતી.
કોઈ પણ ધારાસભ્યે હજુ સુધી રાજીનામું આપ્યું નથી
ભાજપની રણનીતિ જ જડતોડની છે
તમામ ધારાસભ્યો આજે કોંગ્રેસની બેઠકમાં હાજર રહેશે
ભાજપ સહિત અધિકારીઓ માથે લગાવ્યા આરોપ
કોરોનામાં ભ્રષ્ટચાર ના રૂપિયાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. કૈલાશ નાથન જેવા અધિકારીઓ ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લાવે છે. સરકાર અને અધિકારીઓ ને કહેવું છે કે કોરોના માં સેવા કરવામાં રસ લો તો સારૂ. કૈલાશ નાથન જેવા અધિકારીઓ જન પ્રતિનિધિઓ તોડવાનું કામ કરે એ શરમજનક છે. અધિકારીઓ પર આક્ષેપો ના પૂરતા પુરાવાઓ પણ છે. કોંગ્રેસના ધારાસભ્યો ને ખોટા કેસોમાં ફસાવવાનું કામ કરે છે. ગુજરાતના ટેક્સ માંથી જે અધિકારીઓને પગાર ચૂકવાય એ રાજકીય હાથાઓ બની રહ્યા છે.
તમામ ધારાસભ્યો આજે કોંગ્રેસની બેઠકમાં હાજર રહેશે
5 ધારાસભ્યોએ અગાઉ થી જ હાજર નહીં રહે એની રજા લીધી છે. અક્ષય પટેલના પુત્ર પર સરકારે ખોટા કેસો કર્યા છે. ભાજપની નીતિ રહી છે કે ડરાવો અને મંત્રીપદ ની ઓફર આપો. બંને બેઠકો જીતવાની કોંગ્રેસ પાસે સભ્ય સંખ્યા છે. કોંગ્રેસ પાર્ટી કે ધારાસભ્ય પદ પરથી કોઈપણ ધારાસભ્ય એ રાજીનામુ આપ્યું નથી. જીતુ ચૌધરી કોંગ્રેસની બેઠકમાં હાજર રહેશે. કાલ સાંજે વાત થયા મુજબ તેઓ હાજર રહેશે.
આજ સવારથી જ કોંગ્રેસના ચાર ધારાસભ્યો સંપર્કવિહોણા થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે અમિત ચાવડાએ ખુલાસો કરવો પડ્યો હતો કે બધા ધારસભ્યો સાથે જ છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ બે ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. આણંદના ધારાસભ્ય કાંતી સોઢા અને કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. બન્ને ધારાસભ્યો રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. અગાઉ વડોદરાના ધારાસભ્ય અક્ષય પટેલ પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે વધુ બે ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસની ચિંતા વધી છે.