ગુજરાતમાં કોરોનાની મહામારીને લઈને કેન્સલ કરવામાં આવેલી રાજ્યસભા ચૂંટણીને ફરીથી 19મી જૂને યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસમાં પોત પોતાના ઉમેદવારોની જીત પાક્કી કરવા માટે મરણિયા થયા છે. કોંગ્રેસમાંથી માર્ચ 2020થી અત્યાર સુધીમાં 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે હવે કોંગ્રેસે ખજુરિયા, હજુરિયાનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના MLAને 18 જૂન સુધી રિસોર્ટમાં રખાય તેવી શક્યતા
MLA તૂટે નહી તેની જવાબદારી સિનિયર નેતાઓને સોંપાઈ
રાજ્યસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં રખાયા છે. નિલસીટી રિસોર્ટમાં કોંગ્રેસ 20 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ પાસે 23 ધારાસભ્યો છે. 3 ધારાસભ્યો અન્ય કારણોસર રિસોર્ટમાં હાજર નથી.. બિમાર હોવાથી પ્રવીણ મુછડીયા અને ભીખાભાઇ જોશી હાજર નથી. આ ઉપરાંત કોઈ અન્ય કારણસર ધારાસભ્ય કનુ બારૈયા પણ પોતાના ઘરે જ છે.
મહત્વનુ છે કે, 3 ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયા છે.. સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટે નહી તેની જવાબાદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપાઈ છે.