રાજકોટ નીલસીટી રિસોર્ટ ખાતે કોંગ્રેસના 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા શરૂ કર્યા છે. વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રના 23 ધારાસભ્યોના ધરણામાં ભાગ લઈ રહ્યા છે. 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણામાં વિજબીલ અને ખાનગી શાળાઓની ફી માફી સહિત મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં રખાયા છે. નિલસીટી રિસોર્ટમાં કોંગ્રેસ 20 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ પાસે 23 ધારાસભ્યો છે. 3 ધારાસભ્યો અન્ય કારણોસર રિસોર્ટમાં હાજર નથી.. બિમાર હોવાથી પ્રવીણ મુછડીયા અને ભીખાભાઇ જોશી હાજર નથી. આ ઉપરાંત કોઈ અન્ય કારણસર ધારાસભ્ય કનુ બારૈયા પણ પોતાના ઘરે જ છે.
મહત્વનુ છે કે, 3 ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયા છે.. સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટે નહી તેની જવાબાદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપાઈ છે.
નીલસીટી રિસોર્ટ અપડેટ
23 ધારાસભ્યો પૈકી 3 ધારાસભ્યો હાજર નથી
20 ધારાસભ્યો ઉપસ્થિત છે
-કાલાવડ- પ્રવીણ મુછડીયા બીમાર છે
--તળાજા-કનુભાઇ બારૈયા-ઘરે જ આરામ પર છે
--ભીખાભાઇ જોશી મોતિયા ઓપરેશન કારણે ઘરે છે