રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. કોંગ્રેસ પોતાના બે ઉમેદવાર જાહેર છે. જેમાં શક્તિસિંહે ગોહિલ અને રાજીવ શુક્લાને નામ પર મંજૂરીની મહોર મારી છે. રાજીવ શુક્લા BCCI સાથે જોડાયેલા અને IPLના પૂર્વ ચેરમેન છે. શુક્લા કોંગ્રેસ સરકારમાં PMO રાજ્ય મંત્રી પણ રહેલા છે. તો શક્તિસિંહ ગોહિલ હાલે બિહાર અને દિલ્લીના કોંગ્રેસના પ્રભારી છે.
શક્તિસિંહ ગોહિલનું નામ રાજ્યસભા માટે કન્ફોર્મ!
કોણ છે રાજીવ શુકલા?
કેમ ગુજરાતના નેતાઓના ન લાગ્યા નંબર
શક્તિસિંહ વકીલ અને પત્રકારત્વનું ભણ્યા છે. 59 વર્ષના ગોહિલ ગુજરાત સરકારમાં 2 વાર મંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પણ. હાલ તે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. પણ રાજનીતિ શક્તિસિંહને વારસામાં મળી છે. ત્યારે કોણ છે શક્તિસિંહ ગોહિલ તે અંગે વધુ જાણો અહીં
1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા
શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.
શક્તિસિંહ ગોહિલનું નોલેજ તેમનો પ્લસ પોઈન્ટ છે
આ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ.
કોણ છે રાજીવ શુકલા
રાજીવ શુકલાનો જન્મ 13મી સપ્ટેમ્બર 1959ના રોજ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો છે. તે IPLના ચેરમેનપદે હતા. ઉત્તરપ્રદેશ ક્રિકેટ એશોસિએશનમાં સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર અને IPLના ચેરમેન તરીકે ચુંટાયા હતા.
રાજ્યસભાની 2000ની ચૂંટણીથી રાજનીતિ જોઈન
રાજીવ શુકલા હિન્દી ડેઈલી જનસત્તામાં પત્રકાર હતા. 1985 સુધી તે પછી તેમણે રવિવાર મેગેઝીનમાં સ્પેશિયલ કોરોસ્પોન્ડન્ટથી શરૂ કરેલી નોકરીમાં એડિટર સુધીના પદ પર પહોંચીને રાજ્યસભાની 2000ની ચૂંટણીથી રાજનીતિ જોઈન કરી.
શુકલા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી પદે પણ રહી ચૂક્યા છે
અખિલ ભારતીય લોકતાંત્રિક કોંગ્રેસ પાર્ટીમાં જંગી મતોથી જીત મેળવનાર શુકલાની પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 2003માં મર્ઝ થઈ ગઈ અને ત્યારે કેમને કોંગ્રેસ પાર્ટીના સ્પોકપર્શન બનાવવામાં આવ્યા. શુકલા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી પદે પણ રહી ચૂક્યા છે.
મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચાર મામલે 1લી જૂન 2013ના રોજ શુકલાને IPLના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું
મહારાષ્ટ્ર રાજ્યસભામાં સાસંદ રહી ચુકેલ રાજીવ શુકલાને આ વખતે ગુજરાતથી રાજ્યસભામાં લઈ જવાશે. મહારાષ્ટ્ર રાજ્યસભામાં 3જી એપ્રિલ 2012થી 2 એપ્રિલ 2018 સુધી કાર્યરત હતો. મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચાર મામલે 1લી જૂન 2013ના રોજ શુકલાને IPLના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 2015માં શુકલા ફરીથી BCCI દ્વારા IPLના ચેરમેન પદે ચુંટાઈ આવ્યા હતા.