રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા સરકાર પર સતત પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે કે, સરકાર ચૂંટણી જીતવા માટે સામ-દામ-દંડની નીતિ અપનાવી રહી છે. અગાઉ ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ગયા હતા. હાલમાં પણ ધારાસભ્યોને એક સાથે રાખવામાં આવ્યા છે.
ભાજપ સામે ન જૂકનાર ધારાસભ્યોને ધમકાવવામાં આવે છે
પોલીસના માધ્યમથી સત્તાના ડરથી MLAને ડરાવવામાં આવે છે
ઊનાના ધારાસભ્ય પૂજાવંશને પોલીસનો ડર બતાવવામાં આવ્યો છે
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા પોલીસના માધ્યમથી પ્રેશર કરીને ધારાસભ્યોને પરેશાન કરવામાં આવે છે. હાલમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને પોલીસ મારફત પરેશાન કરવામાં આવી રહ્યા છે. 29 મે ના રોજ નગરપાલિકાની ચૂંટણીમાં ઝઘડો થયો હતો. ફાયરિંગ થતા સામ-સામેના પક્ષો ઈજાગ્રસ્ત થયા હતા.
ફાયરિંગ મામલે પૂંજા વંશની પોલીસે લાંબી પૂછપરછ કરી હતી. આ મામલે પોલીસે પૂંજા વંશને ત્રણ-ત્રણ સમન્સ ઈશ્યૂ કર્યા હતા. પૂંજા વંશને ફરી એક વખત 11 તારીખનું સમન્સ આપ્યુ હતુ. ત્યાર બાદ 12 તારીખ માટે ફરીથી સમન્સ ઈશ્યૂ કરાયું. હુમલાખોરની ધરપકડ થઈ છે તો પણ પૂજાવંશને હેરાન કરવામાં આવે છે.
કોરોનાના કહેર વચ્ચે કોંગ્રેસના નેતા નિશીત વ્યાસે સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, રાજ્ય સરકારે લોકોની લાચારી પર મજાકની પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે.. કેન્દ્રમાંથી પેકેજ આવ્યા બાદ રાજ્ય સરકારે 14 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી.
સરકારે 20 ટકા ટેક્સમાં રાહતની વાત કરી હતી. જોકે રાજ્યના અનેક કોર્પોરેશનમાં પરિપત્ર આવ્યો જ નથી. 10 ટકા રિબેટ પર સરકારે ખુલાસો કરવો જોઈએ. કોરોનાના કહેરને લઈને દેશની ઈકોનોમી ખાડે ગઈ છે, સ્પેશિયલ પેકેજની જાહેરાત થવી જોઈએ. સરકારે 750 પેકેજમાં જે વાત કરી છે તે, બજેટની જોગવાઈ છે કે અલગ છે? તેનું સરકારે જણાવવું જોઈએ.
કોંગ્રેસના સરકાર સામે આક્ષેપ
ભાજપ સામે ન ઝૂકનાર ધારાસભ્યોને ધમકાવવામાં આવે છે
પોલીસના માધ્યમથી સત્તાના ડરથી MLAને ડરાવવામાં આવે છે
ઊનાના ધારાસભ્ય પૂજાવંશને પોલીસનો ડર બતાવવામાં આવ્યો છે
29 મેના રોજ સામ-સામે ફાયરિંગની ઘટના બની હતી
ફરિયાદીએ ત્રણ લોકો સામે ફરિયાદ કરી હતી
8 લોકોએ કાવતરું રચ્યુ હોવાની ફરિયાદ થઈ હતી
FIRમાં નામ ન હોવા છતા પૂજાવંશને ત્રણ સમન્સ ઈશ્યૂ કરાયા