રાજ્યસભા ચૂંટણીમાં 4 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનની બાકી રહેલી 16 સીટો માટે આજે મતદાન સંપન્ન થયું છે. આ ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે.
રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થયું હતું
ચૂંટણી પરિણામ જાહેર
મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનની રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભા ચૂંટણીમાં 4 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનની બાકી રહેલી 16 સીટો માટે આજે મતદાન સંપન્ન થયું છે. મહારાષ્ટ્રમાં 6 સીટ, હરિયાણામાં 2 સીટ, રાજસ્થાનમાં 4 સીટ અને કર્ણાટકમાં 4 સીટો ખાલી રાજ્યસભા સીટો પર એક કરતા વધારે દાવેદાર થતાં આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. આ સીટોમાંથી ચારમાં તો ક્રોસ વોટિંગ થયું અને લે વેચ થઈ હોવાની પણ ચર્ચા સામે આવી છે. રાજ્યસભા માટે 15 રાજ્યોની 57 સીટોમાંથી 41 પર ઉમેદવારો પહેલાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
રાજ્યસભા ચૂંટણી પરિણામઃ
કર્ણાટકમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને મળી જીત
કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામ જાહેર કરી દીધા છે. ભાજપે ત્રણ સીટો પર જીત નોંધાવી છે, જ્યારે એક સીટ પર કોંગ્રેસે કબ્જો કર્યો છે. ભાજપમાંથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા અને નેતા જગ્ગેશ અને લહર સિંહ સિરોયા છે. તો વળી કોંગ્રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશને જીત મળી છે.
કર્ણાટક (0/4)
બેઠકો પર જીત
BJP
3
Cong
1
JDS
-
Others
-
રાજસ્થાનમાં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારને મળી જીત
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. અહીં કોંગ્રેસે 3 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એક બેઠક ભાજપે જીતી છે. કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારી ચૂંટણી જીત્યા છે. ત્યારે ભાજપના ઘનશ્યામ તિવારી ચૂંટણી જીતી ગયા છે. ત્યારે, અપક્ષના ઉમેદવાર સુભાષ ચંદ્રા ચૂંટણી હારી ગયા છે.
રાજસ્થાન (0/4)
બેઠકો પર જીત
BJP
1
Cong
3
IND
-
Others
-
અપક્ષ સુભાષ ચંદ્રાને 30 જ મત મળી શક્યા
રાજસ્થાનમાં ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા. જ્યારે અપક્ષના સુભાષ ચંદ્રાને 30 મત મળી શક્યા. ત્યારે, કોંગ્રેસના રણદીપને 43, મુકુલ વાસનિકને 42 અને પ્રમોદ તિવારીને 41 મત મળ્યા.
કોંગ્રેસ નેતા સચિન પાયલટે આપી શુભેચ્છા
કોંગ્રેસ નેતા સચિન પાયલટે ટ્વિટ કરી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વિજેતા ત્રણ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે.
કોંગ્રેસ વિજય લોકશાહીની જીત છેઃ અશોક ગેહલોત
રાજસ્થાનના પરિણામ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં ત્રણ રાજ્યસભા બેઠકો પર કોંગ્રેસ વિજય લોકશાહીની જીત છે. હું ત્રણેય વિજેતા સાંસદો પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને શુભેચ્છા આપું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્રણેય સાંસદ દિલ્હીમાં રાજસ્થાનના હકની મજબૂતીથી લોબિંગ કરી શકશે.
ભાજપનું ડેલીગેશન ચૂંટણી પંચમાં પહોંચ્યું
ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને ભાજપનું એક ગ્રુપ દિલ્હી ચૂંટણી પંચમાં પહોંચ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ સામેલ છે.
#RajyaSabhaElection2022 | A BJP delegation, including Union Ministers Dr Jitendra Singh & Gajendra Singh Shekhawat, reaches the office of the Election Commission of India in Delhi pic.twitter.com/PbREFOfO6y
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે કહ્યું કે, કૃષ્ણ લાલ પંવાર અને કાર્તિકેય શર્મા પોતાની હાર જોઈને ચૂંટણી પરિણામને રોકવા અથવા ટાળવાની કોશિશમાં લાગેલા છે. જ્યારે રિટર્નિંગ ઓફિસરે બીબી બત્રા અને કિરણ ચૌધરીના વોટોને પહેલાથી જ વેલિડ જાહેર કરી દીધા છે.
Fearing the loss of face in Rajya Sabha election results-the BJP has resorted to cheap politics stalling counting of votes in Haryana.
Please have a look at the Returning Officer’s decision rejecting the BJP’s objections 👇
ઉત્તર પ્રદેશ- ભાજપના આઠ ઉમેદવાર સહિત 11 બિનહરીફ ચૂંટાયા
રાજ્યસભા માટે ઉત્તર પ્રદેશમાંથી ભાજપના આઠ ઉમેદવારો સહિત 11 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટાયેલા ભાજપના આઠ સભ્યોમાં લક્ષ્મીકાંત વાજપેયી, ડો. રાધા મોહન દાસ અગ્રવાલ, સુરેન્દ્રનાગર, ડો. કે લક્ષ્મણ, મિથિલેશ કુમાર, બાબૂરામ નિષાદ, સંગીતા યાદવ તથા દર્શન સિંહ છે. કપિલ સિબ્બલને પણ સપામાંથી બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તો વળી રાલોદના અધ્યક્ષ જયંત ચૌધરી પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીમાંથી જાવેદ અલીને પણ ચૂંટવામાં આવ્યા છે.
ઝારખંડઃ JMMના માજી, ભાજપના સાહુએ સર્ટિફિકેટ લીધું
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના મહુઆ માજી અને ભાજપના આદિત્ય સાહુને શુક્રવારે ઝારખંડમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. સંસદના ઉપલા ગૃહમાં માજી અને સાહુની આ પ્રથમ ઇનિંગ હશે. ઝારખંડ વિધાનસભાના સચિવ અને ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર સૈયદ જાવેદ હૈદરે પરિણામોની જાહેરાત કરી હતી. માજી અગાઉ ઝારખંડ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ હતા. તે જેએમએમની મહિલા વિંગના પ્રમુખ પણ રહી ચુક્યા છે. જેએમએમ નેતા અગાઉ રાંચી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 81 સભ્યોની રાજ્ય વિધાનસભામાં JMM પાસે 30 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો છે અને મુખ્ય વિપક્ષ ભાજપ પાસે 26 ધારાસભ્યો છે.
પંજાબ: AAPના સીચેવાલ અને સાહની ચૂંટાયા
રાજ્યસભાની ચૂંટણીમાં પંજાબમાંથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો, પર્યાવરણવાદી બલબીર સિંહ સીચેવાલ અને ઉદ્યોગસાહસિક અને સામાજિક કાર્યકર્તા વિક્રમજીત સિંહ સાહની બિનહરીફ ચૂંટાયા છે. પંજાબ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર કમ સેક્રેટરી સુરિન્દર પાલે જણાવ્યું હતું કે, સીચેવાલ અને સાહની બંનેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. AAP એ બે રાજ્યસભા સીટો માટે સીચેવાલ અને સાહનીને નોમિનેટ કર્યા હતા. પંજાબના રાજ્યસભાના સભ્યો અંબિકા સોની (કોંગ્રેસ) અને બલવિંદર સિંહ ભુંદર (એસએડી)નો કાર્યકાળ 4 જુલાઈએ સમાપ્ત થશે.
મધ્ય પ્રદેશઃ તન્ખા, સુમિત્રા અને કવિતા રાજ્યસભામાં પહોંચ્યા
વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા વિવેક તન્ખા, ભાજપના મહિલા નેતાઓ કવિતા પાટીદાર અને સુમિત્રા વાલ્મિકીને શુક્રવારે મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
તન્ખા સતત બીજી વખત ઉપલા ગૃહમાં ચૂંટાયા છે. વાલ્મિકી અને પાટીદાર બંને પહેલીવાર રાજ્યસભામાં જઈ રહ્યા છે. મધ્ય પ્રદેશ વિધાનસભાના મુખ્ય સચિવ અને રાજ્યસભા ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર એપી સિંહે પરિણામોની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકો માટે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી, જ્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી. જાણવા મળે છે કે, પાટીદાર અગાઉ મધ્યપ્રદેશ મહિલા આયોગના સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે. તે જ સમયે, વાલ્મીકિ જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત કાઉન્સિલર અને એક વખત એલ્ડરમેન રહી ચૂક્યા છે. તે જ સમયે, તન્ખા હાલમાં રાજ્યસભાના સભ્ય છે અને તેમનો વર્તમાન કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થશે. હાલમાં મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે આઠ જ્યારે કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે.
છત્તીસગઢઃ કોંગ્રેસના શુક્લા અને રંજન બિનહરીફ ચૂંટાયા
છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો રાજીવ શુક્લા અને રંજીત રંજન ગત શુક્રવારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. આ માહિતી વિધાનસભાના સચિવ દિનેશ શર્માએ આપી હતી. શર્માએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર રંજીત રંજન પોતે હાજર થયા, જ્યારે તેમના ભાઈએ રાજીવ શુક્લા વતી તેમનું ચૂંટણી પ્રમાણપત્ર મેળવ્યું છે. છત્તીસગઢના રાજ્યસભાના પાંચ સભ્યોમાંથી બે છાયા વર્મા (કોંગ્રેસ) અને રામવિચાર નેતામ (ભાજપ)નો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાંથી અન્ય ત્રણ રાજ્યસભા સભ્યોમાં કોંગ્રેસ તરફથી કેટીએસ તુલસી અને ફૂલો દેવી નેતામ છે જ્યારે ભાજપ તરફથી સરોજ પાંડે છે.
યુપીના રહેવાસી અને પત્રકારત્વથી રાજકારણમાં આવેલા 63 વર્ષીય શુક્લા આ પહેલા ત્રણ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. રંજીત રંજન બિહારના ભૂતપૂર્વ લોકસભા સાંસદ છે. રંજન બિનહરીફ ચૂંટાયા બાદ હવે રાજ્યમાંથી ત્રણ મહિલા રાજ્યસભા સભ્યો છે. 90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 71, ભાજપ પાસે 14, જનતા કોંગ્રેસ છત્તીસગઢ (J) ત્રણ અને BSP પાસે બે ધારાસભ્યો છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે રાજ્ય વિધાનસભામાં તેની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.
બિહારમાંથી રાજ્યસભાની પાંચ બેઠકો માટે શુક્રવારે જેડીયુ, ભાજપ અને આરજેડીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેડી(યુ)ના ઉમેદવાર ખીરુ મહતો, ભાજપના ઉમેદવારો સતીશ ચંદ્ર દુબે અને શંભુ શરણ પટેલ જ્યારે આરજેડીના ઉમેદવારો મીસા ભારતી અને ડો. ફયાઝ અહેમદને સાંજે 4 વાગ્યે વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. વિધાનસભા સચિવ શૈલેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી.
તમિલનાડુ: ચિદમ્બરમ અને અન્ય પાંચ રાજ્યસભા પહોંચ્યા
તામિલનાડુમાંથી ઉમેદવારી નોંધાવનાર તમામ છ ઉમેદવારોને શુક્રવારે સત્તાવાળાઓ દ્વારા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શાસક ડીએમકેના ત્રણ ઉમેદવારો છે. બિનહરીફ ચૂંટાયેલાઓમાં શાસક ડીએમકેના એસ કલ્યાણસુંદરમ, આર ગિરાજન અને કેઆરએન રાજેશ કુમાર, એઆઈએડીએમકેના સીવી ષણમુગમ અને આર ધરમાર અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પી. ચિદમ્બરમનો સમાવેશ થાય છે. ચિદમ્બરમની પસંદગી સાથે, કોંગ્રેસ પાર્ટી પાસે લાંબા અંતર પછી રાજ્યસભામાં તમિલનાડુમાંથી એક સભ્ય હશે. ચિદમ્બરમ 2016માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ આ વર્ષે 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
ઉત્તરાખંડઃ ડૉ.કલ્પના સૈની પર મહોર
ભાજપના નેતા ડૉ.કલ્પના સૈની રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. શુક્રવારે રિટર્નિંગ ઓફિસર અને વિધાનસભાના સચિવ મુકેશ સિંઘલે તેમને વિધાનસભા બિલ્ડિંગમાં ચૂંટણી પ્રમાણપત્ર આપ્યું હતું. હવે લોકસભાની સાથે રાજ્યસભાની ત્રણેય બેઠકો પણ ભાજપના ખાતામાં આવી ગઈ છે. મીડિયા સાથે વાત કરતા ડૉ. સૈનીએ કહ્યું કે, તેઓ પાર્ટી નેતૃત્વની કસોટી પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. પોતાને ઉત્તરાખંડની દીકરી ગણાવતા તેણે કહ્યું કે, તે રાજ્યની સમસ્યાઓને રાજ્યસભામાં ઉઠાવશે.
આંધ્રપ્રદેશ: YSRCના ચાર ઉમેદવારો જીત્યા
આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભા માટે દ્વિવાર્ષિક ચૂંટણીમાં શુક્રવારે વાઈએસઆર કોંગ્રેસના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુકેશ કુમારા મીણાએ આ પ્રકારની ઘોષણા કરી હતી. ચૂંટાયેલા ઉમેદવારમાં વી. વિજયસાઈ રેડ્ડી, બી. મસ્તાન રાવ, આર. કુષ્ણૈયા અને એસ. નિરંજન રેડ્ડી સામેલ છે. રાજ્યસભામાં હવે આઈએસઆર કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાની 11 સીટો છે. તેમાંથી એક સીટ ભાજપ અને એક સીટ તેલુગુ દેશમ પાર્ટી પાસે છે.