એક તરફ કોરોના વાયરસનો ભય અને બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે અને હોર્સ ટ્રેડિંગના ભયથી કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં મોકલ્યા છે તે વચ્ચે એક નવી ઘટના બની હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને કોંગ્રેસી ધારાસભ્યોને મેડિકલ સુવિધા આપવા અપીલ કરી હતી.
નીતિન પટેલ રાજસ્થાનના CM અશોક ગહલોતને લખ્યો પત્ર
ગુજરાતના 65 ધારાસભ્યોને મેડિકલ સુવિધા આપવા કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ પક્ષને અલવિદા કહેતા ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. જો કે, આ ઘટનાથી શીખ લઇને કોંગ્રેસે પોતાના 65 ધારાસભ્યોને રાજસ્થાન ખાતે આવેલા શિવ વિલાસ રિસોર્ટમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો અને હાલ આ ધારાસભ્યો ત્યાં રોકાયા છે.
નાયબ મુખ્યમંત્રીની અશોક ગેહલોકને અપીલ
આ સમયે કોરોના વાયરસના ભય વચ્ચે કોંગ્રેસી ધારાસભ્યોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા કરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને કોંગ્રેસી ધારાસભ્યોને મેડિકલ સુવિધા આપવા અપીલ કરી હતી.
વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ વરસ્યા હતા
કોંગ્રેસના સભ્યોની સર્કિટ બગડી ગઈ છે. કોઈની લાઈટ 2 કે 5 દિવસે ચાલુ થાય છે. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં નીતિન પટેલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વિધાનસભા ગૃહમાં નીતિન પટેલના કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા. મેચ રમવી હોય તો નબળી ટિમ હોવી જોઈએ. આપણે બેટિંગ કરીશું તેઓને ફિલ્ડિંગ ભરાવવા જરૂર પડશે. આપણે આજીવન બેટિંગ કરવાની છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પર નીતિન પટેલ વરસ્યા હતા. કોંગ્રેસ શબ્દ ડિકશનરીમાં કાઢવો છે?
કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ગયા છે
ત્યાર બાદ તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના જયપુરમાં રોકાવવાને લઈને પ્રદીપસિંહને સૂચન કર્યું છે કે, કોંગ્રેસનુ ધ્યાન રાખજો, તેમના ધારાસભ્યો સ્વિમિંગ પુલમાં ધુબાકા ન મારે. કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ગયા છે. જો કોઈને કોરોનાની અસર થશે તો, રાજસ્થાન સરકાર જવાબદર હશે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં આવે ત્યારે બોર્ડર પર ચકાસણી કરવાની જવાબદારી પ્રદીપસિંહની છે.