કોંગ્રેસનો વિખવાદ હવે ચરમસીમાએ છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીને જીતવાની કોઈ વ્યૂહરચના કોંગ્રેસ પાસે છે નહીં. ગુજરાતમાંથી કોંગ્રેસ કોને આગળ મોકલશે તે અંગે અંદરો અંદર ચર્ચાનું બજાર ગરમ છે. પણ જેનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે જો હાલના રાજનૈતિક સમીકરણો હેમખેમ રહેશે તો ગુજરાતમાંથી જાણીતા નેતાનું નામ આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોણ કોણ છે લાઈનમાં અને કોનું નામ છે ટોપ પર
પાટીદાર નેતાનું નામ પણ જાહેર થઈ શકે
ભરત સોલંકીનું પક્ષ પર દબાણ
ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધાં છે ત્યારે કોંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં પોતાના બે ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે. કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને પણ ફરી એકવાર રાજ્યસભામાં તક મળી શકે છે.
ગુજરાતમાં કોણ કોણ છે લાઈનમાં અને કોનું નામ છે ટોપ પર
ગુજરાતથી શક્તિસિંહ ગોહિલનું નામ સૌથી આગળ છે. જો કે રેસમાં અર્જુન મોઢાવાડિયા, સિદ્ધાર્થ પટેલથી લઈને ઘણા સિનિયર નેતાઓ લાઈનમાં છે.
પાટીદાર નેતાનું નામ પણ જાહેર થઈ શકે
રાજ્યસભાની ટીકિટ માટે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસી નેતાઓ લોબિંગ કરી રહ્યાં છે. હવે હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર સૌની નજર મંડાઈ છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ કોઈ પાટીદાર નેતાને રાજ્યસભામાં મોકલવાની માગ કરી છે. ત્યારે કોઈ નવા પાટીદાર નેતાનું નામ પણ જાહેર થઈ શકે છે.
ભરત સોલંકીનું પક્ષ પર દબાણ
ભરત સોલંકીએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ઉપાડી હતી. આ ઉપરાંત બુધવારે સાંજે અમદાવાદના એસજી હાઈવે પરના એક ફાર્મ હાઉસમાં પોતાના સમર્થકો-ધારાસભ્યોની ખાનગી બેઠક પણ બોલાવી હતી. આ બેઠક થકી ભરત સોલંકીએ ટીકિટ મેળવવા હાઈકમાન્ડ પર દબાણ કર્યુ હતું.
કયા રાજ્યમાંથી કોણ હોઈ શકે કોંગ્રેસનું ઉમેદવાર
મધ્યપ્રદેશથી દિગ્વિજય સિંહ રાજ્યસભામાં જાય તેવી શક્યતા છે જ્યારે મહારાષ્ટ્રથી રાજીવ સાતવને રાજ્યસભામાં મોકલાશે. હરિયાણાથી કોંગ્રેસના દિપેન્દર હુડ્ડાની પ્રબળ શક્યતા છે.
આ રાજ્યમાંથી મહિલા ઉમેદાવરને મોકલી શકે છે કોંગ્રેસ
છત્તીસગઢથી કોઇ મહિલાને રાજ્યસભા મોકલવા વિચાર કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના કોટામાંથી પ્રિયંકા રાજ્યસભા જશે. શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી જશે રાજ્યસભામાં જશે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે