ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ મચ્યુ છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ VTV સાથે ખાસ વાત-ચીત કરી છે જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને વિશે ખુલીને વાત કરી હતી.
BTPના ધારાસભ્ય છોટુ વસાવાની VTV સાથે ટેલિફોનિક વાત
છોટુ વસાવાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને લીધા આડે હાથ
ઢોલ વાગ્યા છે નાચશું નહી પણ જોવા તો નીકળીશુઃછોટુ વાસવા
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઇ તોડજોડ અને રિસોર્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે. ત્યારે BTPના ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આવ્યાં છે. છોટુ વસાવાએ વીટીવી સાથે ટેલિફોનિક વાતમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અને કહ્યું કે દેશની દશા ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી બગાડી છે. જો પ્રજાના હિતમાં કામ કર્યા હોત તો આજે ધારાસભ્યોને તોડવાનો વારો ન આવ્યો હોત.
સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે અમારા આદિવાસી ભાઇઓની સમસ્યા માટે પ્રધનામંત્રીને પત્ર લખ્યો છે. જો સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગળની રણનીતિ અંગે ચર્ચા કરી નિર્ણય લઇશું. સાથે જ કહ્યું કે ઢોલ વાગ્યા છે નાચશું નહી પણ જોવા તો નીકળીશુ.
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજ્યસભા ઈલેક્શન પહેલા આપ્યા રાજીનામાં
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
કપરાડાના ધારાસભ્ય જીતભાઈ ચૌધરી
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.