ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. આજે બ્રિજેશ મેરજાના રાજીનામાં સાથે જ ગુજરાતના રાજકારણમાં ભડકો થયો હતો. રાજ્યસભાની 4 બેઠકો માટેની ચુંટણી જીતવા ભાજપ મરણિયુ થયુ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોને તોડવામાં સફળ થયેલું ભાજપ કેમ ફાવી રહ્યુ છે તે મોટો પ્રશ્ન છે કારણ કે અંદરખાને એવું ચર્ચાઈ રહ્યુ છે કે, કોંગ્રેસના પતન પાછળ કોંગ્રના જ નેતાઓનો હાથ છે.
હાઈકમાન્ડ કેમ કાર્યકરોનું ન સાંભળતી હોવાની ઉઠે છે ફરિયાદ
રાજનૈતિક વર્તુળોનું માનીએ તો તેમનું કહેવું છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપર તેમના જ કાર્યકરોનો આક્ષેપ છે કે તે કાર્યકરો દ્વારા લઈ જવાતા કામ કરતા નથી. પ્રજા સુધી સીધા પહોંચતા કાર્યકરોને સાચવવાને બદલે કોંગ્રેસના નેતાઓ તેમને સતત અવગણે છે. એટલું જ નહીં પરંતુ કેટલાક ધારાસભ્યોનું પણ અવગણવામાં આવે છે.
આ 3 ધારાસભ્યો વિરૂધ્ધ ઉઠાવ્યો તો અવાજ
મોરબીના એક્સ એમએલએ બ્રિજેશ મેરજા ગઈ કાલે કોંગ્રેસની જે બેઠક યોજાઈ હતી તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમાં તેમણે કોંગ્રેસના 3 સિનિયર નેતા અને ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ પણ કરી હતી. આ ત્રણ ધારાસભ્યોમાં લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલનો સમાવેશ થાય છે.
હાઈકમાન્ડ સુધી વાત ન પહોંચતી હોવાની ફરિયાદ
થોડા સમય પહેલા લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ CM રૂપાણી અને DYCM નીતિન પટેલને મળ્યા હતા. બ્રિજેશ મેરજાએ આ અંગે કોંગ્રેસની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ સિનિયર નેતાઓ કેમ સીએમ અને ડે.સીએમને મળવા ગયા હતા? તેમને શા માટે મળ્યા હતા? કહેવાય છે કે બ્રિજેશ મેરજાની આ હરકતને કારણે કોંગ્રેસ તેમનાથી નારાજ હતુ અને આમેય હાઈકમાન્ડ સુધી કોઈ વાત ન પહોંચી રહી હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.