કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. ધારાસભ્યો કોંગ્રેસ દ્વારા જાહેર થયેલા નામોનો વિરોધ કરી રહ્યા છે. ધારાસભ્યો સ્થાનિક ઉમેદવારો ઇચ્છી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો તુટવાની અણી પર છે. કોંગ્રેસના ભરતજી ઠાકોર, બળદેવજી, સોમા પટેલ પણ નારાજ છે. કોંગ્રેસના કુલ 30 ધારાસભ્યો નારાજ છે. ત્યારે શું છે મુશ્કેલી અને કેમ ધારાસભ્યો નારાજ છે તે જાણવું રહ્યું.
ગુજરાત કોંગ્રેસમાં પણ ભડકાની આગ
પાર્ટી ઉમેદવારની સતાવાર જાહેરાત કરે તે પહેલા જ ભડકો
કુલ 30 ધારાસભ્યો છે નારાજ
રાજયસભાની ચૂંટણી પહેલા નવો વળાંક આવી શકે
દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક અંગે સુપ્રીમમાં ચૂકાદો આવી શકે છે. ચુકાદો અઠવાડિયામાં આવી શકે તેવી શકયતા છે. જો રાજયસભા પહેલા સુપ્રીમનો ચૂકાદો પબુભાની ફેવરમાં આવે તો ભાજપનો એક મત વધી જાય. જ્યારે કોંગ્રેસ માટે ઘટ પડે તેમ છે. તો ભાજપના ધારાસભ્યોની સંખ્યા 104 થઇ જાય. બીજી બાજુ કોંગ્રેસના ચારથી વધુ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચાઇ રહ્યું છે. જો ભાજપ ફરી આ ધારાસભ્યોને દાણાં નાખે તો બાજી પલ્ટાઇ શકે તેમ છે. ગુજરાતમાં ફરી રાજયસભાની ચૂંટણી વખતે જ ગણિત પલટાઈ શકે તેમ છે.
ધારાસભ્યોની માંગને હાઇકમાન્ડ સુધી પહોંચાડવા આપી ખાતરી
બહુમત ધારાસભ્યો એ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાના નામ સૂચવ્યા હતા. રાજ્યસભાના નામો સામે આવ્યા બાદ કોંગ્રેસમાં ભડકો થયો હોવાની ગાંધીનગરમાં ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યો આ નામોને કારણે નારાજ છે. અહમદ પટેલ, અશોક ગેહલોત અને રાજીવ સાતવ ને ધારાસભ્યોની લાગણીઓ પહોંચાડવામાં આવી
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ઠાલવ્યો રોષ
નારાજ ધારાસભ્યોએ રાજ્યસભામાં ઉમેદવારો મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે રોષ ઠાલવ્યો છે. ઉમેદવાર ગુજરાતના સ્થાનિક હોવાની રજૂઆત કરી હતી. આ ઉમેદવારો ધારાસભ્યોના પસંદગીના હોવા જોઈએ તેવી માંગ કરાઈ રહી છે. અહમદ પટેલ, અશોક ગેહલોત અને રાજીવ સાતવ ને ધારાસભ્યોની લાગણીઓ પહોંચાડવામાં આવી છે.
પ્રમુખ અમિત ચાવડાએ હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલુ કરી
ધારાસભ્યોની માંગને હાઇકમાન્ડ સમક્ષ ચાવડાએ રજુ કરી છે. નામો અંગે પુનઃવિચારણા કરવા અમિત ચાવડાએ રજૂઆત કરી છે. ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરવા માંગ ઉઠી રહી છે.