રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસને હજુ પણ તેમના ધારાસભ્યો તૂટે તેવો ડર હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના 66 ધારાસભ્યો જયપુરમાં રિસોર્ટમાં પહોંચ્યા છે. ત્યારે હજુ 2 ધારાસભ્યો જયપુર પહોંચશે. લલિત કગથરા અને અમરિશ ડેર આજે જયપુર જશે. સોમવારે જીતુ ચૌધરી જયપુર પહોંચી ગયા છે. કોંગ્રેસ પાસે હાલ 68 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. ત્યારે કોંગ્રેસ BTPના 2 અને કોંગ્રેસના એક ધારાસભ્યને મનાવવાના કામે લાગી છે.
કોંગ્રેસમાં નક્કી થશે કે બે ઉમેદવારો લડાવવા કે નહીં
કેવી રીતે મતદાન કરવું
કોણ કોણ છે સમર્થનમાં
જયપુરમાં ગુજરાત કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સનો આજે ત્રીજો દિવસ છે. ગતરોજ સુધી ગુજરાત કોંગ્રેસના 65 જેટલા ધારાસભ્યો જયપુર પહોંચ્યા હતા. આજે 66 ધારાસભ્યો જયપુરમાં છે.
આજે 11 કલાકે તમામ ધારાસભ્યો સાથે બેઠક
ધારાસભ્યો સાથે પ્રભારી અને બે ઉમેદવારો બેઠક કરશે. સવારે 11 કલાકે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. શિવ વિલાસમાં હાજર ધારાસભ્યોને ચૂંટણી અંગે માર્ગદર્શન અપાશે. બંને ઉમેદવારોને મત આપવા અંગે માર્ગદર્શન અપાશે. ધારાસભ્યોને પક્ષની સાથે છે કે સામે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નિરીક્ષક બી કે હરિપ્રસાદ અને રાજનીતાઇ પાટીલ પણ આજે જયપુર પહોંચશે.
પ્રભારી રાજીવ સાતવ જયપુરથી રવાના
શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકી બંને ઉમેદવારોને મત આપવા અંગે માર્ગદર્શન અપાશે. ધારાસભ્યોના સમર્થન મામલે પણ બેઠકમાં ચર્ચા થશે. ભરતસિંહ અને શક્તિસિંહને ચૂંટણી લડાવવા અંગે નિર્ણય થશે. પ્રભારી રાજીવ સાતવ જયપુરથી રવાના થઈ શકે છે.
કોંગ્રેસ દાવો કરી રહી છે કે તે રાજ્યસભાની બંને બેઠકો જીતશે
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. સામાન્ય રીતે તો કોંગ્રેસની રાજ્યસભાની એક બેઠક ગૂમાવી ચૂકી છે. છતાં હજું કોંગ્રેસની આશા અમર છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે તે રાજ્યસભાની બંને બેઠકો જીતશે.
કોંગ્રસના 5 ધારાસભ્યોના રાજીનામાં
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
શું કહે છે 72નું ગણિત?
એટલે કે, અહીં ઘરના જ તોડફોડિયા નિકળ્યા. હવે વાત કરી કોંગ્રેસના દાવાની કે અમારી પાસે 72 ધારાસભ્યોનું સમર્થન છે. તો આ અંગેનું ગણિત પણ સમજો. હાલ પાંચ ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો રહ્યા છે. જો કોંગ્રેસને NCP-BTP ત્રણ મત અને એક અપક્ષમાંથી જીજ્ઞેશ મેવાણીનો મત પડે તો કોંગ્રેસ 72 ધારાસભ્યોનું સમર્થન મળે. પરંતુ હાલ NCP-BTPનું સ્ટેન્ડ ક્લિયર નથી. તો બીજી તરફ એવી પણ માહિતી છે કે, કોંગ્રેસમાંથી હજુ પણ કેટલીક વિકેટો ખડી શકે છે. પરંતુ હાલ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં લાગી છે. જોકે બીજી તરફ કોંગ્રેસમાં પણ અંદરો અંદર શક્તિસિંહ અને ભરતસિંહના નામે ડખા ચાલી રહ્યા છે. કારણ કે, બંનેમાંથી કોઈ ફોમ પરત ખેંચવા તૈયાર નથી. જોકે હાલ તો જયપુરની હોટેલમાં કોંગ્રેસ મંથન કરી રહી છે. પરંતુ આ મંથન હવે કેટલા ધારાસભ્યોને બચાવી શકે છે તે જોવું રહ્યું.