ગુજરાતની રાજનીતિમાં રાજ્યસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ રાજકારણમાં હોર્ષટ્રેડિંગ અને ધારાસભ્યોની ખરીદ-વેચાણ શરૂ થઈ ગયા હતા ત્યારે કોંગ્રેસમાંથી 8 રાજીનામાં પડી ચુક્યા છે જેમાંથી કોંગ્રેસના એક્સ ધારાસભ્ય જીતુ ચૌધરીએ કિશન પટેલ પર આરોપ લગાવ્યો હતો તો વળી બ્રિજેશ મેરજાએ પણ કોંગ્રેસના 3 ધારાસભ્યો વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
કિશન પટેલની વિરૂદ્ધમાં અનેક રજૂઆત કરી હતીઃ જીતુ ચૌધરી
કિશન પટેલ સામે કોઈ પગલા નહતા લેવાયાઃ જીતુ ચૌધરી
કોંગ્રેસની નિર્ણય શક્તી ધીમી હોવાથી રાજીનામા પડી રહ્યા છે-જીતુ ચૌધરી
જીતુચૌધરીએ રાજીનામાં બાદ નિવેદન આપ્યુ છે કે, કિશન પટેલના કારણે રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યું હતુ. સ્થાનિક નેતાગીરીથી નારાજ થઈ કોંગ્રેસ છોડ્યુ હોવાનું પણ જીતુ ચૌધરીએ કહ્યુ હતુ.
શું કહે છે જીતુ ચૌધરી?
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કિશન પટેલએ પક્ષના વિરોધમાં કામ કર્યુ હતુ. કિશન પટેલની વિરૂદ્ધમાં અનેક રજૂઆત કરી હતી. કિશન પટેલ સામે કોઈ પગલા નહતા લેવાયા. કોંગ્રેસની નિર્ણય શક્તી ધીમી હોવાથી રાજીનામા પડી રહ્યા છે. કિશન પટેલના આક્ષેપોને જીતું ચૌધરીએ ફગાવ્યા છે. કિશન પટેલે કરેલા આક્ષેપો ખોટા છે. ભાજપમાં જોડાવુ કે નહી તે સમય આવે ત્યારે કહીશ. મારા સમર્થકો મારી સાથે લાગણીથી જોડાયેલા છે. બીજા ધારાસભ્યના રાજીનામાં પર હુ નહી કહી શકુ.
બ્રિજેસ મેરજાએ પણ 3 ધારાસભ્યોની કરી હતી ફરિયાદ
રાજનૈતિક વર્તુળોનું માનીએ તો તેમનું કહેવું છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપર તેમના જ કાર્યકરોનો આક્ષેપ છે કે તે કાર્યકરો દ્વારા લઈ જવાતા કામ કરતા નથી. પ્રજા સુધી સીધા પહોંચતા કાર્યકરોને સાચવવાને બદલે કોંગ્રેસના નેતાઓ તેમને સતત અવગણે છે. એટલું જ નહીં પરંતુ કેટલાક ધારાસભ્યોનું પણ અવગણવામાં આવે છે.
આ 3 ધારાસભ્યો વિરૂધ્ધ ઉઠાવ્યો તો અવાજ
મોરબીના એક્સ એમએલએ બ્રિજેશ મેરજા ગઈ કાલે કોંગ્રેસની જે બેઠક યોજાઈ હતી તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમાં તેમણે કોંગ્રેસના 3 સિનિયર નેતા અને ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ પણ કરી હતી. આ ત્રણ ધારાસભ્યોમાં લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલનો સમાવેશ થાય છે.
હાઈકમાન્ડ સુધી વાત ન પહોંચતી હોવાની ફરિયાદ
થોડા સમય પહેલા લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ CM રૂપાણી અને DYCM નીતિન પટેલને મળ્યા હતા. બ્રિજેશ મેરજાએ આ અંગે કોંગ્રેસની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ સિનિયર નેતાઓ કેમ સીએમ અને ડે.સીએમને મળવા ગયા હતા? તેમને શા માટે મળ્યા હતા? કહેવાય છે કે બ્રિજેશ મેરજાની આ હરકતને કારણે કોંગ્રેસ તેમનાથી નારાજ હતુ અને આમેય હાઈકમાન્ડ સુધી કોઈ વાત ન પહોંચી રહી હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.