ગુજરાતના 4 રાજ્યસભા સાંસદ સહિત દેશના 56 સાંસદો આવતી કાલે શપથ લેશે. આ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતના વિજેતા સભ્યો આજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદો શપથ લેશે
આવતીકાલે 20 રાજ્યના 56 સાંસદો શપથ લેશે
ગુજરાતના 4 રાજ્યસભા સાંસદ શપથે લેશે
નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદો ( member of parliament )શપથ લેશે. આવતીકાલે 20 રાજ્યના 56 સાંસદો શપથ લેશે. ગુજરાતના 4 રાજ્યસભા ( rajya sabha ) સાંસદ શપથે લેશે. અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહિલ શપથ લેશે.
શપથગ્રહણને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. એક સાસંદ સાથે પરિવારનો એક સદસ્ય જ ભાગ લેશે. સામાજિક અંતરનું ફરજિયાત પાલન કરવું પડશે. ગુજરાતના સાંસદો દિલ્લી જવા રવાના થઇ ગયા છે.