લોકપ્રિય કૉમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 10 ઓગષ્ટે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા.
લોકપ્રિય કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા
રાજુ શ્રીવાસ્તવને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાંથી ઘર-ઘરમાં ઓળખ મળી
રાજુ શ્રીવાસ્તવે કોમેડી કરીને લોકોને ખૂબ હસાવ્યાં
રાજુ શ્રીવાસ્તવે કાનપુરની શેરીઓમાંથી નિકળીને મુંબઈની ફિલ્મી દુનિયામાં ખ્યાતિ મેળવી. 80ના દાયકામાં બોલીવુડમાં એન્ટ્રી કરનારા રાજુ શ્રીવાસ્તવને ટીવી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાંથી ઘર-ઘરમાં ઓળખ મળી. રાજુ શ્રીવાસ્તવે કોમેડી કરીને લોકોને ખૂબ હસાવ્યાં અને ફિલ્મોમાં અભિનય કરીને પણ દર્શકોના દિલમાં પોતાની અલગ છાપ છોડી. કાનપુરમાંથી નિકળીને મુંબઈ સુધીનો પ્રવાસ ખૂબ લાંબો અને સંઘર્ષભર્યો રહ્યો. તેમના પ્રશંસકો તેમને રાજુ શ્રીવાસ્તવથી વધુ ગજોધર ભૈયા કહીને બોલાવે છે.
રાજુ શ્રીવાસ્તવે ગળાકાપ સંઘર્ષ કર્યો
રાજુ શ્રીવાસ્તવ જ્યારે કાનપુરથી મુંબઈ પહોંચ્યા તો તેમનો પ્રવાસ સરળ ન હતો. પોતાના સપનાને પૂર્ણ કરવા માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ત્યાં સુધી કે જ્યા એક સમયે રાજુને પૈસાની તંગી થઇ તો તેમણે મુંબઈમાં ઓટો પણ ચલાવી. જ્યારે તેઓ મુંબઈના રસ્તા પર રીક્ષા ચલાવતા હતા ત્યારે એક દિવસ તેમનુ ભાગ્ય પલટ્યુ અને એક કૉમેડી શોમાં તેમને બ્રેક મળ્યો. આ શોથી તેમને કૉમેડી શોમાં કામ મળવાનુ શરૂ થયુ. તેમણે દૂરદર્શનના ટી ટાઈમ મનોરંજનમાં કામ કર્યુ. પરંતુ તેઓ લોકપ્રિય ધ ગ્રેટ ઈન્ડિયન લૉફ્ટર ચેલેન્જથી થયા.
રાજુ શ્રીવાસ્તવ 'ધ ગ્રેટ ઈન્ડિયન લૉફ્ટર ચેલેન્જ'માં એક ગજોધર ભૈયાના પાત્રમાં પરફોર્મ કરતા હતા. તેમના આ પાત્રએ પ્રશંસકોના દિલ પર અલગ ઓળખ બનાવી. ચાહકોને આ પાત્ર એટલું પસંદ આવ્યું કે તેમના પ્રશંસકો આજે પણ તેમને ગજોધર ભૈયા કહે છે.