કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની દિલ્હીની એમ્સમાં સારવાર ચાલી રહી છે, તેમના ભાઈએ તેમની હેલ્થ અપડેટ આપતા કહ્યું છે કે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે.
કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની દિલ્હીની એમ્સમાં ચાલી રહી છે સારવાર
ભાઈ દીપૂ શ્રીવાસ્તવએ વિડીયોમાં આપી હેલ્થ અપડેટ
રાજૂની હેલ્થમાં સુધાર આવી રહ્યો છે - દીપૂ શ્રીવાસ્તવ
કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબિયત પર મોટી અપડેટ સામે આવી છે. તેમના નાના ભાઈ દીપૂ શ્રીવાસ્તવએ હાસ્ય અભિનેતા રાજૂ શ્રીવાસ્તવનાં સ્વાસ્થ્ય પર પોતાનો વિડીયો મેસેજ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે રાજૂ શ્રીવાસ્તવનાં સ્વાસ્થ્યમાં ઝડપથી સુધાર આવી રહ્યો છે. તેઓ એમ્સમાં ભરતી છે, ડૉક્ટર પોતાના 100 ટકા આપી રહ્યા છે.
વિડીયોમાં આપ્યા હેલ્થ અપડેટ
દીપૂ શ્રીવાસ્તવએ વિડીયોમાં કહ્યું કે રાજૂ શ્રીવાસ્તવ અતીયારે એમ્સમાં આઈસીયૂમાં ભરતી છે. ડૉક્ટર પોતાના 100 ટકા આપી રહ્યા છે. તેમનો ઈલાજ સારો ચાલી રહ્યો છે. સારી રિકવરી થઈ રહી છે. તમે અફવાઓ પર ધ્યાન ન આપો, આપણા ભાઈ ફાઇટર છે. આપણી વચ્ચે જલ્દી જ આવશે અને કોમીડીની દુકાન શરૂ કરશે.
Raju's latest update is that he seems out of that critical condition he was in y'day.The best doctors,neuro surgeons are attending on him and things are looking better.I feel Raju's own will to fight and our collective prayers are being heard by the almighty.🙏🙏🙏har har mahadev
'રાજૂ શ્રીવાસ્તવ છે ફાઇટર '
આ પહેલા રાજૂ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવએ કહ્યું હતું કે તેમના પતિ એક ફાઇટર છે અને આપણી વચ્ચે પાછા ફરશે. જ્યારે અભિનેતા શેખર સુમને જણાવ્યું છે કે આ સમયે રાજૂ શ્રીવાસ્તવ ગંભીર સ્થિતિમાંથી બહાર છે. સૌથી સારા ડૉક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા છે અને સ્થિતિમાં સુધાર લાગી રહ્યો છે. મને લાગે છે કે રાજૂમાં હજુ પણ લડવાની ઈચ્છા છે અને ભગવાન બધી પ્રાર્થના સાંભળે છે. હર હર મહાદેવ.
એમ્સમાં ચાલી રહી છે સારવાર
જણાવી દઈએ કે રાજૂ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટનાં રોજ હાર્ટ એટેક આવ્યો હતો, જ્યાર બાદથી તેમને દિલ્હીની એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. અભિનેતાની એ જ દિવસે એંજિયોપ્લાસ્ટી થઈ હતી, જે દિવસે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.