રાજ્ય સરકારે રાજપૂત સમાજની કેટલીક પેટા જ્ઞાતિઓનો OBCમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો OBCમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં નાડોદા, કારડિયા, ભાથી-રાજપૂત સમાજનો OBCમાં સમાવેશ કરવામાં આવશે.
શાળા, રેવન્યુ અને સરકારી રેકોર્ડમાં કારડિયા અને નાડોદાનો ઉલ્લેખ ન હોવાથી ટેક્નિકલ કારણોસર OBC પ્રમાણપત્રો મળતા ન હતા. OBC પ્રમાણપત્ર નહીં મળવાથી સરકારી લાભોથી વંચિત રહેતા હતા. જેથી હવેથી નાડોદા, કારડિયા, ભાથી-રાજપૂત સમાજને OBCના લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર બાદ રાજપૂત સમાજ દ્વારા OBC પંચે અનામત બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.
મહત્વનું છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, સમાચના લોકો દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અરજી કરવામાં આવી હતી.
જેમાં તેમણે જણાવ્યું કે, અગાઉ આ જ્ઞાતિઓનો પછાત વર્ગ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તેમનો સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની જાતિનો જ ભાગ છે. પરંતુ તેમના સમાજના લગ્ન સંબંધો ગુજરાતમાં અન્ય જગ્યા પર વરસતા કારડીયા-નાડોદા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત સમાજ સાથે થાય છે.
સાથે જણાવ્યું હતું કે પછાત વર્ગમાં આવવા છતા તેમના શાળા, રેવન્યુ કે અન્ય સરકારી રેકર્ડમાં આ જ્ઞાતિઓનો ઉલ્લેખ ન હોવાથી ટેકનીકલ કારણોસર તેમને સામાજિક અને શૈક્ષણિક કરીતે પછાત વર્ગોના પ્રમાણપત્રો મળતા નથી. જેને લઇને તેઓ અનામત અને સરકારી લાભોથી વંચિત રહે છે. જેથી હવે નાડોદા, કારડિયા, ભાથી-રાજપૂત સમાજને OBCના લાભ મળશે.