બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / rajput karni sena president murder know secrets about sukhdev singh gogamedi three wive

કરણી સેના મર્ડર / પહેલી હોમગાર્ડમાં, બીજી શીલા અને ત્રીજી સાથે લિવ ઈન રિલેશન, ગોગામેડીની 3 પત્નીઓનું રહસ્ય ખુલ્યું

Hiralal

Last Updated: 04:05 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી આખો દેશ સ્તબ્ધ છે અને હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં નવા ખુલાસા થઈ રહ્યાં છે તેમાં એકનો ઉમેરો થયો છે.

  • કરણી સેના ચીફ ગોગામેડીની 3 પત્નીઓનું ખુલ્યું રહસ્ય
  • પહેલી પત્ની શકુંતલા સાથે થયા છે છૂટાછેડા
  • બીજી શીલા શેખાવત ભાદરામાં રહે છે 
  • ત્રીજી જયપુરમાં લિવ ઈનમાં હોવાનો ખુલાસો 

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ  સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન ખળભળાટ મચી ગયો છે. તેમની હત્યા બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે અને તેમને વિશે ઘણી અજાણી વાતો પણ બહાર આવી રહી છે. હવે ગોગામેડીની 3 પત્નીઓને લઈને પણ મોટો ખુલાસો સામે આવ્યો છે. સુખદેવસિંહ ગોગામેડીને ત્રણ પત્નીઓ હતી. 

કોણ હતી શકુંતલાની પહેલી પત્ની 
સુખદેવની પહેલી પત્નીનું નામ શકુંતલા હતું, જે હરિયાણા હોમગાર્ડમાં હતી. બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને હાલ શકુંતલા ગોગામેડી ગામમાં રહે છે. 

બીજી પત્ની કોણ 
બીજી પત્નીનું નામ શીલા શેખાવત છે, ભાદરામાં સુખદેવ સાથે રહેતી હતી. તેમને બે દીકરીઓ છે. એક દીકરીએ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી.

ત્રીજી પત્ની ક્યાં 
સુખદેવસિંહ ગોગામેડીની ત્રીજી પત્ની વિશે કોઈને કોઈ માહિતી નથી જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તે જયપુરમાં જ ગોગામેડી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. 

લોરેન્સ ગંગની ખંડણીનો વિરોધ પણ હતું ગોગામેડીની હત્યાનું કારણ 
કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું એક કારણ ખંડણીનો વિરોધ પણ છે અને તેનો ખુલાસો એક પોલીસ અધિકારીએ કર્યો છે. જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અંગે લોકોના મનમાં એક જ સવાલ છે અને તે એ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત સંપત નેહરા અને રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? સુખદેવ હત્યા કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 3 ડિસેમ્બર, 2022 ના રોજ ગેંગસ્ટર રાજુ ઠેહટ હત્યા બાદ લોરેન્સ ગેંગે શેખાવતીમાં ગભરાટ ફેલાવવા માટે રોહિત ગોદરા દ્વારા વેપારીઓ અને કારોબારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું હતું. આમાંના ઘણા ઉદ્યોગપતિઓ સુખદેવસિંહ ગોગામેડીના નજીકના હતા. લોરેન્સ ગેંગની ધમકીઓ બાદ ગોગામેડી અને ગેંગસ્ટર આનંદપાલનો નાનો ભાઇ મનજીત પાલ સિંહ નારાજ બિઝનેસમેન અને પ્રોપર્ટી ટ્રેડર્સના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. લગભગ એક વર્ષ પહેલા રતનગઢના રહેવાસી પ્રોપર્ટી બિઝનેસમેન મહિપાલ સિંહને ગેંગસ્ટર રોહિત ગોદારાના નામે ધમકી આપવામાં આવી હતી. રાજુ ઠેહટ હત્યા કેસના પાંચ દિવસ બાદ જ ખંડણીનો મામલો સામે આવ્યો હતો. 8 ડિસેમ્બર 2022 ના રોજ મહિપાલ સિંહના ફોન પર વોટ્સએપથી વોઇસ મેસેજ આવ્યો હતો કે 'હું રોહિત ગોદરા છું, 15 ડિસેમ્બર સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. નહિતર, તમે સીકર (સિકરમાં થઈ હતી રાજુ ઠેહટની હત્યા) નું પરિણામ જોઈ ચૂક્યા છો. જો આગળ કામ કરવું હશે તો પૈસા આપવા પડશે. આ પછી, 15 ડિસેમ્બર 2022 ના રોજ, બપોરે 2:50 વાગ્યે, તેમને ફરીથી વોટ્સએપ કોલ અને સંદેશ મળ્યો. "હું રોહિત ગોદરા બોલું છું. 'હા કે ના'નો જવાબ આપો. અમે ફરી ફોન નહિ કરીએ.

જયપુરમાં રોહિત-નીતિન નામના યુવાનોએ કરી હતી ગોગામેડીની હત્યા
ગઈ કાલે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે યુવાનોએ કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેમણે લોરેન્સ ગેંગના ઈશારે આ હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યા બાદ બન્ને હત્યારા ફરાર થઈ ગયા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. બન્નેના માથા પર 5-5 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sukhdev Singh Gogamedi murder jaipur gogamedi murder સુખદેવસિંહ ગોગામેડી મર્ડર rajput karni sena president murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ