મુંબઇ: બોલીવુડની જાણીતા નિર્દેશક સંજય લીલા ભંસાલીની આવનારી ફિલ્મ પદ્માવતીનો વિરોધ રોકવાનું નામ લેતી નથી. શનિવારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા બાદ રાજપૂત કરણી સેના જયપુર તરફથી રાજમંદિર સિનેમાઘરની સામે એનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો.
જણાવી દઇએ કે સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'પદ્માવતી' શરૂઆતથી જ કરણી સેનાનો વિરોધ ઝેલી રહી છે. ચિતોડની રાણી પર બનેવા આ ફિલ્મનું પહેલું પોસ્ટર ગુરુવારે જ રિલીઝ થયું છે અને પોસ્ટર સામે આવતાં જ રાજસ્થાનની કરણી સેનાએ ફરીથી આ ફિલ્મના વિરોધ માટેની વાત કહી દીધી છે. સૂત્રો અનુસાર કરણી સેનાના ફાઉન્ડર લોકેન્દ્ર સિંહ કલવીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'જો ફિલ્મમાં ખોટા તથ્યો દેખાડવામાં આવશે તો એનું સ્કિનિંગ થવા દેશે નહીં. આશરે 20 દિવસ પહેલા ભંસાલીની ટીમે લોકોને ફિલ્મ જોવા માટે કહ્યું હતું પરંતુ અમે એમને કહ્યું હતું કે ફિલ્મને ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓને દેખાડવા માટે કહ્યું. ત્યારબાદ અમારી કોઇ વાત થઇ નથી.
ગુરુવારે આ ફિલ્મનું પહેલુ લુક સામે આવ્યું છે જેમા દીપિકા પાદુકોણ રાણી 'પદ્માવતી' ના લુકમાં જોવા મળી રહી છે. પહેલા પોસ્ટરમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.