આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે.. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બન્યો છે.. વરસાદી માહોલ હોવાના કારણે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબમાં ગરબા રદ કરવામાં આવ્યા છે.. રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબમાં પ્રથમ બે દિવસ ગરબા રદ કરાયા છે.. રાજ્યમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરી છે.. વરસાદ થતા ખેલૈયા અને આયોજકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે...