જમ્મુ કશ્મીરના રાજૌરીના અધિકારીઓએ પાકિસ્તાનની વારંવાર થતી હરકતોને ધ્યાને લઈને યોજના બનાવી છે.તેમણે 5 500થી વધારે અંડરગ્રાઉન્ડ બંકર બનાવ્યા છે.આ ઉપરાતં 200 સામુહિક ભવન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.બોર્ડર પાસે આવેલા આ ગામો પર જયારે પાકિસ્તાન સીઝફાયર કરે છે ત્યારે વધારે મુશ્કેલી પડે છે તેને લઈને આ નિર્ણય લેવાયો છે.
સેનાના ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર 153.60 કરોડ રૂપિયા આ યોજના પાછળ ફાળવવામાં આવ્યા છે. આ મહત્વની પરિયોજનામાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે અને આ વર્ષના અંત સુધીમાં આ યોજના પૂરી કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ કમિશનર શાહિદ ઇકબાલ ચૌધરીએ બોર્ડર વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ બંકરો પણ વિવિધ પ્રકારના બનાવવામાં આવ્યા છે.જેમાં પારિવારીક બંકર સામુદાયિક બંકર સાર્વજનિક હૉલ અને સરહદી હૉલનું બાંધકામ ચાલી રહ્યું છે.પાકિસ્તાન તરફથી થતાં સીઝફાયરથી બચવા માટે આ યોજના ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.