રક્ષાપ્રધાન રાજનાથસિંહ આજરોજ સવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. રાજનાથસિંહે ત્યાં શહીદોને શ્રધ્ધાંજલી આપી. રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, એર ચીફ માર્શલ બીએસ ધનોઆ અને નૌ સેના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યાં. રાજનાથસિંહ આજે સત્તાવાર રીતે દેશના રક્ષા મંત્રી પદભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રચંડ બહુમત પ્રાપ્ત કરી બીજી વખત આવેલા નરેન્દ્ર મોદીને ગુરૂવારના રોજ વડાપ્રધાન પદની શપથ અપાવી. રાજનાથસિંહને સરકારના પ્રથમ કાર્યકાળમાં ટોપના ચાર મંત્રીઓમાં જગ્યા મળતી. તેઓ સરકારના પ્રથમ કાર્યકાળમાં ગૃહપ્રધાન હતા.
મોદી કેબિનેટમાં રાજનાથસિંહને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથસિંહ આજે રક્ષા મંત્રીનું પદભાર સંભાળશે. તે પૂર્વે રાજનાથસિંહ દિલ્લીમાં નેશનલવોર મેમોરિયલ હોલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજનાથસિંહે શહીદોને નમન કર્યું અને શહીદોને સલામી પણ આપી. મહત્વનું છે કે ભારતના રક્ષા મંત્રી બન્યા બાદ રાજનાથસિંહ સામે અનેક પડકારો છે.
જેમાં ત્રણેય પાંખમાં આધુનિકરણનું કામ ઝડપથી કરવું. ચીનની સીમાઓ પર શાંતિ જાળવી રાખવી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ યુદ્ધની સેના, નૌસેના અને વાયુસેનાની યુદ્ધની ક્ષમતા મજબૂત કરવી. જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ સહિતના અનેક પડકારો છે.