રક્ષામંત્રી રાજનાથસિંહ ગુરુવારે એટલે કે આજે 43 પુલ દેશને સમર્પિત કરશે. આ પુલ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં છે. તેનું નિર્માણ સીમા સડક સંગઠને કર્યું છે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે આ પુલોનું ઉદ્ધાટન ઘણું મહત્વનું ગણાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ પુલના શરૂ થયા બાદ સીમા પર સેનાને પોતાના હથિયાર અને ઉપકરણોને લઈ જવામાં મદદ મળશે. રક્ષામંત્રી વીડિયો કોન્ફરન્સની મદદથી આ તમામ પુલ દેશને સમર્પિત કરશે.
સીમા પર ચીન સાથેના વિવાદ સમયે ખાસ છે પુલનું ઉદ્ધાટન
સેનાને ભારે હથિયાર અને ઉપકરણો લઈ જવામાં મળશે મોટી મદદ
7 પુલ લદ્દાખમાં છે
આ 43 પુલમાંથી 7 પુલ લદ્દાખમાં આવેલા છે. એક અન્ય નિવેદનમાં કહેવાયું છે કે રક્ષામંત્રી ગુરુવારે એક ઓનલાઈન કાર્યક્રમમાં 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમામં આ પુલનું ઉદ્ધાટન કરશે. બીઆરઓની તરફથી આ પુલના નિર્માણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખ સહિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તેમાંથી 10 પુલ જમ્મુ કાશ્મીર, 2 હિમાચલ, ઉત્તરાખંડ અને અરુણાચલમાં 8-8 પુલ, સિક્કિમ અને પંજાબમાં 4-4 પુલ છે. અધિકારીઓનું કહેવું છે કે રક્ષામંત્રી અરુણાચલ પ્રગેશા તવાંગમાં એક રોડ પર નેચિફૂ સુરંગની આધારશિલા પણ રાખશે.
ચીન સીમા પર પોતાની યોજનાઓ પૂરી કરી રહ્યું છે ભારત
ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારત એલએસી પર પોતાની ખાસ સુવિધાઓને ઝડપથી વધારવાની સાથે અધૂરી યોજનાઓને જલ્દી પૂરી કરવાનું કામ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના લદ્દાખ સાથે જોડવાની સડક પર બીઆરસી ઝડપથી કામ કરી રહ્યું છે. આ 290 કિમી લાંબી સડક ઉંચાઈવાળા સ્થાનેથી પસાર થશે. આ સડકના બનવાના કારણે લદ્દાખ ક્ષેત્રના ખાસ મોર્ચા સુધી સેનાને પોતાના ભારે હથિયાર પહોંચાડવામાં સરળતા રહેશે. એટલું જ નહીં કારગિલના વિસ્તારોમ માટે આ એક મહત્વની લિંક સાબિત થશે.