દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ પહેલું રાફેલ વિમાન લેવા માટે ફ્રાંસ જઇ રહ્યા છે. 8 ઓક્ટોબર પહેલા રાફેલ લડાકૂ વિમાન ભારતને સોંપવામાં આવશે. જણાવાય રહ્યું છે કે રક્ષામંત્રી રાફેલમાં ઉડાન ભરશે.
પહેલા રાફેલ વિમાનને લેવા ફ્રાંસ જઇ રહ્યા છે રક્ષામંત્રી
8 ઓક્ટોબરે દેશને સોંપવામાં આવશે પહેલુ રાફેલ
2022 સુધીમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે 36 જેટ્સ
રક્ષા મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ વિમાન લેવા માટે રક્ષામંત્રી ફ્રાંસ જશે. 8 ઓક્ટોબર દેશને પ્રથમ રાફેલ મળી જશે. જ્યારબાદ તેને વાયુ સેનામાં સામેલ કરવામાં આવશે. એ પણ જણાવાયું છે કે રાજનાથ સિંહ ફ્રાંસમાં જ રાફેલ પર ઉડાન ભરશે. તે tail number RB-01 પર ઉડાન ભરશે. આ ટેલ નંબર વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયાના નામ પર છે.
વર્ષ 2016માં ભારતીય વાયુસેનાએ તેજસ લાઇટ કૉમ્બૈટ એરક્રાફ્ટ મળ્યા બાદ આ પ્રથમવાર છે જ્યારે વાયુસેનાના મોટા કોઇ નવા લડાકૂ વિમાનને સામેલ કરાઇ રહ્યું છે. ભારતને મળનાર 36 વિમાનોની ડીલમાંથી પ્રથમ ચાર અંબાલામાં આગામી વર્ષ મે મહિનામાં સોંપવામાં આવશે. આ ડીલ સપ્ટેમ્બર 2016માં થઇ હતી. ફ્રાંસમાં થનાર કાર્યક્રમમાં બન્ને દેશોના રક્ષામંત્રી અને રક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.
રાફેલ જેટને હાસિમારામાં રાખવામાં આવશે
પ્રથમ 16 રાફેલ વાયુસેનાની 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવશે, વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન હીરો બનીને ઉભરેલ આ સ્ક્વાડ્રને હાલમાં જ સેનાનિવૃત થયેલ એર ચીફ માર્શલ બીએસ ધનોએ કમાન્ડ કર્યા હતા. એપ્રિલ 2022માં આવનાર આગામી 16 રાફેલ જેટને પશ્ચિમ બંગાળના હાસિમારામાં રાખવામાં આવશે. રાફેલ વિમાનને જોકે ભારત આવતા કેટલોક સમય લાગશે કારણ કે તેની વ્યાપક તપાસ અને પાયલટની ટ્રેનિંગમાં ઘણો સમય લાગે છે.
2022 સુધીમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે 36 જેટ્સ
રાફેલ લડાકૂ વિમાન ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા અનેક ગણી વધારી દેશે. આ હવાઇ ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થશે. રાફેલ પાકિસ્તાન અને ચીનથી થનાર હવાઇ હુમલાઓના ખતરાઓને રોકવા અને તેને કાઉન્ટર કરવામાં ઘણા મદદરૂપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે સોફ્ટવેર પ્રામાણિકતાના કારણે તમામ 36 જેટ્સ ઓક્ટોબર 2022 સુધીમાં ભારત વાયુસેનામાં સામેલ થઇ જશે. ભારત રાફેલ જેટ માટે અત્યાર સુધી વર્ષ 2016ના કરાર હેઠળ 34,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઇ ચૂકી છે.