જમ્મૂ કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથસિંહે કહ્યું કે, અત્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સિવાય કોઈ ઉપાય નથી. પરંતુ જો કાશ્મીરનો પ્રશ્ન પહેલાં જ સરદાર પટેલને સોંપાયો હોત તો આ સમસ્યા જ ન હોત.
ભાવનગરમાં આજે ગણમાન્ય સંમેલનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગૃહમંત્રી રાજનાથસિંહ ભાવનગરના વિવિધ વેપારી સંગઠનોના આગેવાનો હોદેદારો, સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યાં હતા.
સાથે જ જમ્મૂ કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથસિંહે કહ્યું કે, અત્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સિવાય કોઈ ઉપાય નથી. પરંતુ જો કાશ્મીરનો પ્રશ્ન પહેલાં જ સરદાર પટેલને સોંપાયો હોત તો આ સમસ્યા જ ન હોત.
કોંગ્રેસ હટશે તો જ ગરીબી હટશે: રાજનાથ
ગૃહમંત્રી રાજનાથસિંહે ભાવનગરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે જનતાને આહવાન કર્યુ હતું. સાથે જ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાષ્ટ્રદ્રોહના કાયદાને સમાપ્ત કરવાના ઉલ્લેખ બાબતે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અમારું ચાલશે તો અમે રાષ્ટ્રદ્રોહનો કાયદો વધુ મજબૂત બનાવીશું. આ ઉપરાંત ગરીબી મુદ્દે પણ રાજનાથસિંહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ હટશે તો જ ગરીબી હટશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શું બોલી રહ્યાં છે તેની તેને ખબર નથી. તેઓ માઈનોરીટીના મત મેળવવા માટે આવું બોલી રહ્યાં છે. રાજનાથસિંહે ભાજપે 5 વર્ષમાં કરેલા કામોની યાદી લોકો સામે રજૂ કરી હતી.
તેમને જણાવ્યું હતું કે આતંકવાદીઓનો ખાત્મો બોલાવનાર સૈન્યને લોકો સવાલ કરે છે જે વ્યાજબી નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગરીબીની વાત કરે છે, પરંતુ અત્યારે દેશમાં માત્ર 5 કરોડ લોકો જ ગરીબ છે. ભારત કોંગ્રેસ મુક્ત નહીં થાય ત્યાં સુધી ભારતમાંથી ગરીબી મુક્ત નહીં થાય.