રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ મંત્રી સાથે ફોન પર કરી વાત, કહ્યું બંને દેશોએ પરમાણુ હુમલાનો વિચાર કરવો જોઈએ નહીં
રાજનાથ સિંહે રશિયનના રક્ષા મંત્રી સાથે કરી વાત
"પરમાણુ હુમલાનો વિચાર કરવો જોઈએ નહીં"
"માનવતાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે"
રશિયાના સંરક્ષણ મંત્રી સર્જઈ શોઇગુએ બુધવારને 26 ઓક્ટોબરે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાજનાથ સિંહને યુક્રેનની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ડર્ટી બોમ્બનો ઉપયોગ કરીને ઉશ્કેરણીજનક બાબતો પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં સ્થિતિ ખરાબ થતી જાય છે. રશિયાના સંરક્ષણ પ્રધાને યુક્રેનના ડર્ટી બોમ્બના ઉપયોગ અંગે અમેરિકા, ઈંગ્લેન્ડ, તુર્કી વગેરે દેશોના જણાવ્યું છે.
રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રીની વાતચીત
રશિયાના સંરક્ષણ મંત્રી સાથે ફોન પર વાતચીતમાં રાજનાથ સિંહે યુક્રેન સંઘર્ષનો ઉકેલ માટે વાતચીત કરી હતી, તેમણે કૂટનીતિ અપનાવવા પર ભાર મુક્યો હતો. રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુને કહ્યું કે બંને દેશોએ પરમાણુ હુમલાનો વિચાર કરવો જોઈએ નહીં. રશિયા અને યુક્રેન વચ્ચે વધતી દુશ્મનાવટ વચ્ચે રશિયાના સંરક્ષણ પ્રધાનની પહેલ પર આ વાતચીત થઈ હતી.
યુદ્ધની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી
રાજનાથ સિંહે સંકેત આપ્યો કે બંને પક્ષોએ પરમાણુનો વિકલ્પ પસંદ કરવો જોઈએ નહી. પરમાણુ અથવા રેડિયોલોજીકલ હથિયારોનો ઉપયોગ કરવો તે માનવતાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. મંત્રાલયે જણાવ્યું કે બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી છે.
નાટો દેશોના સંરક્ષણ પ્રધાનોને કરી જાણ
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્જઈ શોઇગુએ રવિવારે આ જ વિષય પર નાટો દેશોના સંરક્ષણ પ્રધાનો સાથે વાતચીત કરી હતી. યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓએ રશિયાના આ આરોપને ફગાવી દીધો હતા. કિવમાં રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. સાથે જ ચિંતા વ્યક્ત કરી કે રશિયા યુદ્ધમાં વધુ વૃદ્ધિ બહાને આવા આરોપો લગાવવાંમાં આવી રહ્યાં છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેનના ડર્ટી બોમ્બને પરમાણુ હુમલા સમાન ગણાશે અને તેનો જવાબ પરમાણુ હથિયારોથી આપવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ વધ્યો
લગભગ બે અઠવાડિયા પહેલા ક્રિમીઆમાં મોટા વિસ્ફોટના જવાબમાં રશિયાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા પછી બંને વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે. રશિયાએ વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ત્યાંની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે.